નવી દિલ્લી: આગામી સમયમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસે જવાની છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમમા કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે. તેના પહેલા અજિંકય રહાણેઅને શિખર ધવન પણ કોરોનાની વેક્સિન લઈ ચૂક્યા છે. જ્યારે ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી વેક્સિન લેનાર ભારતીય ટીમના પહેલા સભ્ય હતા. જેમણે કોરોના વેક્સિન લીધી હતી. શાસ્ત્રીએ માર્ચમાં જ વેક્સિનનો ડોઝ લઈ લીધો હતો.
કોહલીએ કોરોના વેક્સિન લગાવતી વખતેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ સાથે તેણે લોકોને પણ વેક્સિન લગાવવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યુ કે, જે લોકો વેક્સિન વેક્સિન લગાવવા માટેના દાયરામાં જે લોકો આવે છે તે લોકોએ વેક્સિન લેવી જોઇએ. જેથી કોરોના વાયરસને રોકતો ફેલાવી શકાય. ઈશાંત શર્મા અને તેની પત્ની પ્રતિભાએ પણ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે.
ઈશાંતે તેના ટ્વિટર પેજ પર લખ્યું છે કે, હું આ માટે આભારી છું અને આ કામ સાથે સંકળાયેલા તમામ લોકોનો પણ આભાર માનું છું. સિસ્ટમની સુગમતાથી ખુશ. શક્ય તેટલું જલદી બધા રસીકરણ કરાવો. ધવનને પણ થોડા દિવસો પહેલા કોરોના રસી મળી હતી. ત્યારે તેમણે પણ લોકોને રસી જલ્દીથી કરાવવા અપીલ કરી હતી. આ કોરોનાને રોકવામાં મદદ કરશે.
ટીમ ઇન્ડિયા 2 જૂને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થશે. આ પહેલા પણ, ખેલાડીઓ કોરોના રસી લગાવી રહ્યા છે. પ્રવાસ પહેલા ટીમના તમામ સભ્યો મુંબઇમાં ભેગા થઈ જશે અને અહીંની હોટલમાં 8 દિવસ માટે એકલતામાં રહેશે.
ભારતીય ટીમ ઈંગ્લેન્ડના સાઉધમ્પ્ટન ખાતે 18 થી 22 જૂન દરમિયાન ન્યુઝીલેન્ડ સામે ડબ્લ્યુટીસીની ફાઇનલ રમવાનું છે. આ પછી ટીમ ઈન્ડિયા ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમશે. તેની શરૂઆત 4 ઓગસ્ટથી નોટિંગહામમાં થશે. છેલ્લી મેચ માન્ચેસ્ટરમાં રમાશે.