મુંબઇ : આજે ભારતીય ટીમે શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચ એક ઇનીંગ અને 239 રને જીતી લીધી છે. ત્યારે શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટ મેચ અને વન-ડે તથા ટી20 સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિરાટ કોહલી ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમની કમાન સંભાળશે. પરંતુ શ્રીલંકા સામેની વન-ડે અને ટી20 શ્રેણીમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલીની જગ્યાએ રોહીત શર્માને વન-ડે શ્રેણીમાં સુકાની પદ સોપવામાં આવ્યું છે. જ્યારે રવિન્દ્ર જાડેજા અને અશ્વીનને વન-ડે શ્રેણીમાં અવગણના કરવામાં આવી છે.
શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટ માટેની ટીમ ઇન્ડિયા આ પ્રમાણે છે:
વિરાટ કોહલી(સુકાની), મુરલી વિજય, કે.એલ. રાહુલ, શિખર ધવન, ચેતેશ્વર પુજારા, અજીંક્ય રહાણે(ઉપ-સુકાની), રોહીત શર્મા, રીદ્ધીમાન સહા, અશ્વીન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા અને વિજય શેખર.
શ્રીલંકા સામેની વન-ડે શ્રેણી માટે ટીમ ઇન્ડિયા:
રોહીત શર્મા(સુકાની), શિખર ધવન, અજીંક્ય રહાણે, શ્રેયસ અય્યર, મનીશ પાંડે, કેદાર જાધવ, દિનેશ કાર્તીક, ધોની(વિકેટ કિપર), હાર્દીક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યઝુવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને સિદ્ધાર્થ કૌલ.