ત્રીજો વર્લ્ડકપ જીતવાનો ઇરાદો છીન્નભીન્ન થયા પછી હવે ભારતીય ક્રિકેટ ટીમ આવતા વર્ષેઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપની તૈયારી આવતીકાલે શનિવારે અહીં વેસ્ટઇન્ડિઝ સામે 3 ટી-20 મેચની પહેલી મેચથી કરશે. શનિવારે રાત્રે 8.00 વાગ્યેથી ફલોરિડાના લોડેરહિલ ખાતે રમાશે. પહેલી ટી-20 ભારતના યુવા ખેલાડીઓ માટે મહત્વની થઇ રહેશે, ખાસ તો વેસ્ટઇન્ડિઝના ખેલાડીઓ ટી-20 સ્પેશિયાલિસ્ટ ગણાતા હોવાથી ભારતીય યુવા ખેલાડીઓની કસોટી થશે ઍ નક્કી છે.
વેસ્ટઇન્ડિઝના પ્રવાસે રવાના થતાં પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીઍ કહ્યું હતું કે આ સિરીઝનો ઉદ્દેશ જેમના નામ પસંદગીકારોના ધ્યાનમાં છે ઍવા નવા ખેલાડીઓને પારખવાનો છે. કોહલીને આ સિરીઝમાં મર્યાદિતઓવરોની મેચમાં આરામ આપવાની વાત હતી પણ માત્ર સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને બાદ કરતાં ઍક મજબૂત ટીમની પસંદગી કરવામાં આવી છે.
બુમરાહ 22 ઓગસ્ટથી શરૂ થતી ટેસ્ટ સિરીઝમાં રમશે. આ ઉપરાંત ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે.
ભારતના યુવા ખેલાડીઓમાં શ્રેયસ ઐય્યર અને મનીષ પાંડે માટે આ પ્રવાસ મહત્વનો સાબિત થઇ શકે છે. પાંડેઍ ભારત વતી પોતાની છેલ્લી મેચ નવેમ્બર 2018માં જ્યારે શ્રેયસે ફેબ્રુઆરી 2018માં રમી હતી. ભારત માટે આ સિરીઝમાં મિડલઓર્ડરની સમસ્યાનું નિરાકરણ શોધવું પણ અગત્યનું થઇ પડશે. પાંડે અને ઐય્યર વેસ્ટઇન્ડિઝના પ્રવાસે ગયેલી ઍ ટીમનો હિસ્સો હતા અને બંનેઍ સારી ઇનિંગો રમી હતી.
આ ઉપરાંત સ્પિનઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર, ઝડપી બોલર ખલીલ અહેમદ, દીપક ચાહર, નવદીપ સૈની અને રાહુલ ચાહર માટે પણ આ સિરીઝ પોતાની ઉપયોગિતા સાબિત કરવા માટે મહત્વની સાબિત થઇ શકે છે. આ ઉપરાંત ધોનીની ગેરહાજરીમાં ઋષભ પંત પર વધુ જવાબદારી હશે અને તેણે ઍ સાબિત કરી બતાવવું પડશે કે તે ધોનીનો ઉત્તરાધિકારી બનવા માટે યોગ્ય પસંદગી છે.