Ind vs SL Schedule: ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ગુરુવારે શ્રીલંકા પ્રવાસનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ટીમ ઈન્ડિયા 26 જુલાઈથી શ્રીલંકામાં ત્રણ મેચની T20 સિરીઝ રમશે. આ પછી, 1 ઓગસ્ટથી બંને ટીમો વચ્ચે 3 વનડે મેચોની શ્રેણી રમાશે. જો કે, બંને બોર્ડે હજુ સુધી આ શ્રેણી માટે તેમની ટીમની જાહેરાત કરી નથી. આ પ્રવાસથી ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચનું પદ સંભાળશે. સનથ જયસૂર્યાને શ્રીલંકાના મુખ્ય કોચની જવાબદારી મળી છે. જ્યારે ભારત સામેની શ્રેણી પહેલા જ શ્રીલંકાના કેપ્ટન વાનિન્દુ હસરંગાએ કેપ્ટનશીપ છોડી દીધી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 સીરીઝની પ્રથમ મેચ 26મી જુલાઈના રોજ પલ્લેકેલેમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. આ પછી, બીજી ટી-20 મેચ બીજા જ દિવસે એટલે કે 27 જુલાઈએ પલ્લેકલેમાં રમાશે. T20 સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 29 જુલાઈએ રમાશે. આ મેચ પણ પલ્લેકેલેમાં જ યોજાશે.
આ પ્રવાસથી ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચનું પદ સંભાળશે. સનથ જયસૂર્યાને શ્રીલંકાના મુખ્ય કોચની જવાબદારી મળી છે. જ્યારે ભારત સામેની શ્રેણી પહેલા જ શ્રીલંકાના કેપ્ટન વાનિન્દુ હસરંગાએ કેપ્ટનશીપ છોડી દીધી છે.
ટી-20 શ્રેણી બાદ ભારત અને શ્રીલંકા વચ્ચે 1 ઓગસ્ટથી ત્રણ મેચની વનડે શ્રેણી પણ રમાશે. વનડે શ્રેણીની પ્રથમ મેચ 1 ઓગસ્ટ, બીજી મેચ 4 ઓગસ્ટ અને ત્રીજી અને છેલ્લી મેચ 7 ઓગસ્ટના રોજ રમાશે. વનડે શ્રેણીની તમામ મેચો કોલંબોમાં રમાશે.
https://twitter.com/BCCI/status/1811401597928518115
ભારતના શ્રીલંકા પ્રવાસનું પૂર્ણ શેડ્યૂલ
પ્રથમ T20 મેચ – 26 જુલાઈ
બીજી T20 મેચ – 27 જુલાઈ
ત્રીજી T20 મેચ – 29 જુલાઈ
ODI શ્રેણી શેડ્યૂલ
1લી ODI – 1 ઓગસ્ટ
2જી ODI – 4 ઓગસ્ટ
ત્રીજી ODI- 7મી ઓગસ્ટ