ભારતીય ટીમના માજી બેટ્સમેન અને આંધ્રપ્રદેશની રણજી ટીમના કેપ્ટન વેણુગોપાલ રાવે મંગળવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. આંધ્રપ્રદેશ ક્રિકેટ ઍસોસિઍશનના ઍક નિવેદનમાં જણાવાયું હતું કે આંધ્રપ્રદેશ રણજી ટીમના માજી કેપ્ટન તેમજ ભારત વતી 16 વન ડે ઇન્ટરનેશનલ અને આઇપીઍલમાં 65 મેચ રમનારા વેણુગોપાલ રાવે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.
વિશાખાપટ્ટનમના આ ૩૭ વર્ષિય ખેલાડીઍ ભારત વતી 16 વન ડે ઇન્ટરનેશનલમાં 11 ઇનિંગ રમી હતી. જેમાં તેણે ઍક અર્ધસદીની મદદથી 218 રન બનાવ્યા હતા. તેણે શ્રીલંકા સામે 30 જુલાઇ 2005ના રોજ દામ્બુલામાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યુ હતું અને તેણે પોતાની અંતિમ વન ડે 23 મે 2006ના રોજ વેસ્ટઇન્ડિઝ સામે બાસેટેરમાં રમી હતી. આઇપીઍલમાં તે 2008થી 2014 સુધી ડેક્કન ચાર્જર્સ, દિલ્હી ડેરડેવિલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમી ચુક્યો છે.
વેણુગોપાલ રાવની બેટિંગ કેરિયર પર ઍક નજર
ફોર્મેટ મેચ ઇનિંગ રન સર્વોચ્ચ ઍવરેજ સ્ટ્રાઇક રેટ સદી અર્ધસદી
વન ડે 16 11 218 61 24.22 60.06 00 1
ફર્સ્ટક્લાસ 121 192 7081 228* 40.93 — 17 30
લિસ્ટ ઍ 137 122 4110 115* 38.77 — 11 25
વેણુગોપાલ રાવની બોલિંગ કેરિયર પર ઍક નજર
ફોર્મેટ મેચ બોલ રન વિકેટ શ્રેષ્ઠ ઍવરેજ ઇકોનોમી
વન ડે ૧૬ — — — — — — —
ફર્સ્ટક્લાસ 121 5232 2452 66 4/34 37.15 2.81
લિસ્ટ ઍ 137 3043 2477 53 5/20 46.73 4.88