નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્નની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. એક સપ્તાહથી તમામ મીડિયા એજન્સી પણ આ બંનેના લગ્ન સાથે સંબંધિત સમાચારોને કવર કરવા માટે પોતાના તમામ સૂત્રોનો ઉપયોગ કરી રહી છે. હવે સમાચાર આવી રહ્યાં છે કે, અનુષ્કા અને વિરાટે ઈટલીના મિલાન ખાતે બધાની નજરોથી બચીને 9 ડિસેમ્બરે લગ્ન કરી લીધા છે!
અહીંથી શરૂ થઈ ચર્ચા
ઉલ્લેખનીય છે કે, જ્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની વન-ડે અને ટી20 સીરીઝમાંથી આરામ લેતા તેના અને અનુષ્કાના લગ્નની અફવાઓને વેગ મળ્યો હતો. બાદમાં બંનેના ફેમિલી અને લગ્ન કરાવનારા પંડિતને એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા. એક સમયે તેમના લગ્નનું શેડ્યૂલ પર સમાચારોમાં ફરતું થયું હતું. જોકે, ત્યારે અનુષ્કા તરફથી આ વાતોનું ખંડન કરવામાં આવ્યું હતું.
ચાર વર્ષથી રિલેશનમાં છે વિરાટ-અનુષ્કા
મળતા સમાચાર અનુસાર, 26 ડિસેમ્બરે મુંબઈ ખાતે એક ભવ્ય રિસેપ્શન યોજાશે. ઉલ્લેખનીય છે કે, કોહલી અનુષ્કાએ 2013થી એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ ઘણા ફંક્શન અને ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા. અનુષ્કા ઘણીવાર વિરાટને સપોર્ટ કરવા માટે ઈન્ડિયા અને IPLની તેની મેચોમાં પણ હાજર રહી. જોકે, બંનેએ ઘણા લાંબા સમય સુધી પોતાના સંબંધને જાહેર નહોતો કર્યો. થોડા સમય પહેલા જ બંનેએ સાર્વજનિક રીતે પોતાના રિલેશનને સ્વીકાર્યો હતો ત્યારથી જ બંનેના લગ્નની અટકળો શરૂ થઈ ગઈ હતી.
આખરે એકબીજાના બન્યા વિરાટે ઇન્સ્ટેગ્રામ પર કરી જાહેરાત
Today we have promised each other to be bound in love for ever. We are truly blessed to share the news with you.This beautiful day will be made more special with the love and support of our family of fans & well wishers. Thank you for being such an important part of our journey. pic.twitter.com/aobTUwMNAK
— Virat Kohli (@imVkohli) December 11, 2017