ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પદ માટે જ્યારે અરજીઓ મગાવાઇ હતી તે સમયે વહીવટદારોની સમિતિ (સીઓઍ)ના અધ્યક્ષ વિનોદ રાયે સ્પષ્ટ કહ્યું હતું કે આ પ્રક્રિયામાં કેપ્ટનની કોઇ ભૂમિકા નહીં હોય, બીજી તરફ વેસ્ટઇન્ડિઝના પ્રવાસે રવાના થતાં પહેલા કેપ્ટન કોહલીઍ કોચ પદ માટે પોતાની પસંદને ખુલેઆમ જાહેર કરીને તેના માટે રવિ શાસ્ત્રીનું સમર્થન કર્યુ હતું. ઍક રીતે જોવામાં આવે તો આ કેપ્ટન તરીકેના પ્રોટોકોલનો ભંંગ જ ગણાય, પણ સીઓઍનું આ બાબતે કહેવું છે કે ઍ તો અભિવ્યક્તિની આઝાદી છે.
સીઓઍ દ્વારા કોહલીઍ પોતાની પસંદ ખુલેઆમ જાહેર કરી તે બાબતે ઍવું કહેવાયું હતું કે કેપ્ટન ઍવા લોકશાહી દેશમાં રહે છે જ્યાં અભિવ્યક્તિની આઝાદી છે અને તેથી તેને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે. સીઓઍના ઍક સભ્યઍ કહ્યું હતું કે લોકશાહી દેશમાં કોહલીને બોલતો ન અટકાવી શકાય.
જ્યારે તેમને પુછાયું કે શું કોહલીઍ ૩ સભ્યોની સીઍસીને આ કોઇ ઇશારો આપ્યો છે, ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે ઍવું ના કહી શકાય, આ તેનો વિચાર છે અને તે તેણે જાહેર કર્યો છે. તેને બોલતા ન અટકાવી શકાય. રસપ્રદ વાત ઍ છે કે વાત જ્યારે બીજા ખેલાડીઓની આવે છે ત્યારે અભિવ્યક્તિની આઝાદીની વાત ભુલી જવાય છે અને તેમને મીડિયા સાથે વાત કરવાની મંજૂરી સુદ્ધા મળતી નથી. આ જ વાત બીસીસીઆઇ અધિકારીઓ પર પણ લાગુ થાય છે.