ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહને વર્લ્ડ કપ પછી આરામ આપવામાં આવશે. બંનેને ત્રીજી ઓગસ્ટથી વેસ્ટઇન્ડિઝ સામે શરૂ થઇ રહેલી મર્યાદિત ઓવરોની મેચોની સિરીઝમાં આરામ અપાશે અને તેમના સ્થાને યુવા ખેલાડીઓને તેમાં તક આપવામાં આવશે. કોહલી અને બુમરાહ તે પછી વિન્ડીઝ સામેની બે ટેસ્ટની સિરીઝથી ટીમમાં વાપસી કરશે. બીસીસીઆઇના ઍક અધિકારીઍ નામ જાહેર ન કરવાની શરતે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે કોહલી અને બુમરાહ ચોક્કસપણે વિન્ડીઝ સામેની 3 મેચની ટી-20 અને 3 મેચની વનડે સિરીઝ માટે આરામ આપવામાં આવશે.
બીસીસીઆઇના અધિકારીએ જણાવ્યું હતું કે વિરાટ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ શરૂ થઇ ત્યારથી સતત રમી રહ્યો છે. જ્યારે બુમરાહનો વર્ક લોડનું મેનેજમેન્ટ પણ ઉચ્ચ સ્તરનું છે. તેઓ ટેસ્ટ સિરીઝ પહેલા ટીમ સાથે જોડાઇ જશે. કેટલાક અન્ય ખેલાડીઓને પણ આ સિરીઝમાં આરામ આપવામાં આવશે એવી શક્યતા તેમણે દર્શાવી હતી.