ભારતીય ટીમના કોચની પસંદગી કરવાની જવાબદારી જેમને સોંપવામાં આવી છે તે 3 સભ્યોની ક્રિકેટ ઍડવાઇઝરી કમિટીના વડા મહાન ક્રિકેટર કપિલ દેવે પોતાની સાથી સભ્ય શાંતા રંગાસ્વામીનાની ઍ વાત સાથે સહમતિ દર્શાવી હતી કે કોચ પદ માટે કેપ્ટન વિરાટ કોહલીના મતનું પણ સન્માન કરવું જાઇઍ. ભારતને પહેલો વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટન કપિલ દેવે કહ્યું હતું કે કોચ પદ મામલે તેઓ કોઇ દબાણમાં નથી અને તેમની પેનલ પોતાની સર્વશ્રેષ્ઠ ક્ષમતા અનુસાર જ કામ કરશે.
વેસ્ટઇન્ડિઝ પ્રવાસે રવાના થતાં પહેલા કોહલીઍ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે હાલના કોચ રવિ શાસ્ત્રી જળવાઇ રહેશે તો અમને ખુશી થશે. કપિલ દેવે અહીં ઇસ્ટ બંગાળ ફૂટબોલ ક્લબના 100 વર્ષ પુરા થવા નિમિત્તે યોજાયેલા સમારોહમાં ભારત ગૌરવ સન્માન મેળવ્યા પછી પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અન્ય દરેક જણના મતની જેમ અમે કોહલીના મતનું પણ સન્માન કરીશું.
કપિલ દેવની આગેવાની હેઠળની કમિટી પોતાનું કામ શરૂ કરે તે પહેલા ઍવી પણ ઍક વાત આવી છે કે રવિ શાસ્ત્રીને બે વર્ષનું ઍક્સટેન્શન મળી શકે છે. આ કમિટીના સભ્ય અને માજી મહિલા કેપ્ટન શાંતા રંગાસ્વામીઍ કહ્યું હતું કે વિરાટ કેપ્ટન છે અને તેને પોતાનો મત રજૂ કરવાનો અધિકાર છે. પણ આગામી મુખ્ય કોચ કોણ હશે તે સીઍસી ન મળીને નક્કી કરશે.