જયપુર : મહિલા ટી-20 ચેલેન્જ ટાઇટલ જીતનારી સુપરનોવાઝ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું હતું કે આ લીગની પ્રારંભીક સિઝન જારદાર રહી છે. પણ તેમાં વધુ ટીમો હોવી જાઇઍ. શનિવારે અહીં રમાયેલી ફાઇનલમાં સુપરનોવાઝે હરમનપ્રીત કૌરની ૫૧ રનની ઇનિંગની મદદથી વેલોસિટીને 4 વિકેટે હરાવીને ટાઇટલ જીતી લીધું હતું,
હરમનપ્રીતે મેચ પછી કહ્યું હતું કે ટુર્નામેન્ટની સફળતાને જાતા તેમાં વધુ ટીમોની ભાગીદારી હોવી જાઇઍ. તેણે કહ્યું હતું કે મારા માટે આ ટુર્નામેન્ટ જોરદાર રહી છે અને મેં ઘણું શીખ્યું છે, અન્ય ખેલાડીઓનું પણ ઍવું જ છે. અમે આ ટુર્નામેન્ટ પાસેથી આવી જ આશા રાખતા હતા. મહિલા ટી-20 ચેલેન્જની ફાઇનલ જાવા માટે અંદાજે 15,000 દર્શકો હાજર રહ્યા હતા. જેમણે હરમનપ્રીતનો જુસ્સો વધાર્યો હતો. તેણે આગામી સિઝનમાં વધુ ટીમોની માગ કરતાં કહ્યું હતું કે અમે ભારતમાં ટી-20 લીગ રમવા માગતા હતા અને જે પ્રકારે તેનું આયોજન થયું તેનાથી હું ખુશ છું. અમે આશા રાખીઍ છીઍ કે આગામી સિઝનમાં વધુ ટીમો અને વધુ મેચ હશે.
તેણે કહ્યું હતું કે વિદેશી ખેલાડીઓ પણ ઇચ્છતી હતી કે આવતા વર્ષે તેનું આયોજન હજુ વધુ મોટા લેવલે થાય. તેણે ઍવું ઉમેર્યુ હતું કે આ બાબત દર્શાવે છે કે વિદેશી ખેલાડીઓ માટે પણ આ લીગ કેટલી મહત્વની છે. વિદેશી મહિલા ખેલાડીઓ હંમેશા પુછતી હતી કે ભારતમાં મહિલા લીગ ક્યારે અને ક્યાં યોજાશે, જેથી તેઅો રમી શકે. તમે જાઇ શકો છો કે બધા માટે તે મહત્વની છે. તેઓ અહીં રમવા માટે આતુર છે.