સાઉથહૈપટનઃ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે સાઉથહેપટનમાં રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ મુકાબલામાં 5 દિવસનો સમય થયો છે. પરંતુ વરસાદના કારણે હજી સુધી કોઈ વિજેતા બની શક્યું નથી. આ મહામુકાબલામાં બહેલા દિવસે વરસાદના કારણે ધોવાઈ ગયો જેના કારણે રિઝર્વ ડે એટલે કે છ દિવસ મેચ રમાવવાની હતી. આઈસીસીઆઈએ હવે જાણકાકરી આપી છે કે છઠ્ઠા દિવસે કેટલી ઓવર રમાશે અને છેલ્લા કલાકમાં શું થશે.
આઈસીસીના એક નિવેદનમાં કહેવાયું છે કે ખરાબ મોસમના કારણે આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલનું પહેલું અને ચોથો દિવસ વરસાદથી ધોવાઈ ગયો હતો. આનો મતલબ એ છે કે નિર્ધારિત રિઝર્વ દિવસમાં જઈ રહ્યા છે.
નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે રિઝર્વ ડેમાં પહેલા 5 દિવસમાં જેટલી ઓવરનું નુકસાન થયું છે તેને પુરું કરવામાં આવશે. રિઝર્વ ડેમાં વધારેમાં વધારે 98 ઓવર ફેંકવામાં આવશે. છઠ્ઠા દિવસમાં 83 ઓવરની સાથે 15 ઓવરનો યોગ છે. આ 15 ઓવર એમ્પાયરના સંકેત બાદ છેલ્લા કલ્લાકમાં ફેંકવામાં આવશે. રિઝર્વ દિવસ માટે વધારેમાં વદારે 330 મિનિટ અને છેલ્લો એક કલાક છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કોઈપણ પણ તકમાં બંને કેપ્ટનોને લાગે છે કે મેચનું કોઈપણ પરિણામ ન નીકળી શકે. તે આંતરીક સહમતિથી એમ્પાયરને જણાવીને ડ્રોની જાહેરાત કરી શકે છે. આવી સ્થિતિમમાં રમત ગમે ત્યારે પૂર્ણ થઈ શકે છે. બંને ટીમોમાં સંયુક્ત રૂપથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિજેતા જાહેર કરવામાં આવશે.