મર્યાદિત ઓવરોની મેચમાં ભારતના સૌથી સફળ ક્રિકેટરોમાંથી ઍક યુવરાજ સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો ગંભીરતાથી વિચાર કરી રહ્યો છે અને આઇસીસી દ્વારા મંજૂર વિદેશી ટી-૨૦ લીગમાં ફ્રીલાન્સ ક્રિકેટર તરીકે રમી શકે છે. પંજાબના ડાબોડી હાથના બેટ્સમેન બીસીસીઆઇ પાસેથી મંજૂરી મળ્યા પછી અંતિમ નિર્ણય કરશે. ઍવું માનવામાં આવી રહ્યું છે કે યુવરાજે સ્વીકારી લીધું છે કે હવે ભારત વતી રમવાની તેના માટે સંભાવના નથી.
આ બાબતે માહિતી ધરાવનારા બીસીસીઆઇના સૂત્રઍ રવિવારે જણાવ્યું હતું કે યુવરાજ સિંહ ઇન્ટરનેશનલ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો વિચાર કરી રહ્યો છે. બીસીસીઆઇ સાથે તેની વાત કરવા અને જીટી-૨૦ (કેનેડા), આયરલેન્ડમાં યુરો ટી-૨૦ સ્લેમ અને હોલેન્ડમાં રમવા બાબતે વધુ સ્પષ્ટતા માગે તેવી સંભાવના છે કારણકે તેની પાસે ઍ માટેની દરખાસ્ત આવી છે.
ઇરફાન પઠાણે હાલમાં જ કેરેબિયન પ્રીમિયર લીગના ડ્રાફટમાં પોતાનું નામ મોકલ્યું હતું, જા કે તે હજુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સક્રિય ખેલાડી છે અને તેણે બીસીસીઆઇ પાસેથી મંજૂરી મેળવી નથી. બીસીસીઆઇના ઍર વરિષ્ઠ પદાધિકારીઍ જણાવ્યું હતું કે ઇરફાનને ડ્રાફટમાંથી નામ પાછું ખેંચવા કહી દેવાયું છે, જ્યાં સુધી યુવરાજનો સવાલ છે તો અમારે નિયમ જાવા પડશે. જા તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ પણ લેશે તો પણ બીસીસીઆઇ હેઠળ નોંધાયેલી સક્રિય ટી-૨૦નો ખેલાડી હોઇ શકે છે.