PM Modi Sambhal Visit: પીએમ નરેન્દ્ર મોદી આજે યુપીના સંભલને 10 લાખ કરોડ રૂપિયાની ભેટ આપશે. નોંધનીય છે કે ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી યોજાવાની છે.
પીએમ મોદી કલ્કિ ધામનું ઉદ્ઘાટન કરી રહ્યા છે
પીએમ મોદી કલ્કિ ધામ પહોંચ્યા છે. અહીં પીએમ મોદીએ કલ્કિ ધામના ઉદ્ઘાટનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદી સાથે સીએમ યોગી આદિત્યનાથ અને આચાર્ય પ્રમોદ કૃષ્ણમ હાજર હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભલ સ્થિત કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કરી રહ્યા છે. આ શિલાન્યાસ સમારોહની ઘણા દિવસોથી રાહ જોવાઈ રહી હતી. આ મંદિર સંભલના અંકારા કંબોહ વિસ્તારમાં બનવા જઈ રહ્યું છે. અયોધ્યાના રામ મંદિર પછી આ મંદિરનો શિલાન્યાસ કરવાની વાત થઈ હતી. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ શ્રી કલ્કિ ધામ કન્સ્ટ્રક્શન ટ્રસ્ટના અધ્યક્ષ છે. તેમણે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું હતું, ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ તેમના પર પ્રહારો કર્યા હતા. થોડા દિવસો પછી, કોંગ્રેસે તેમને ‘પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ’નો આરોપ લગાવીને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.