Dangerous potholes in Palanpur: NHAIની ઓફિસ સામે ખતરનાક ખાડા: અકસ્માતો છતાં તંત્રની ઊંઘ યથાવત!

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
3 Min Read

Dangerous potholes in Palanpur: પહેલા વરસાદે જ રોડ ખાડામાં, વાહનચાલકોને દિનદહાડે જોખમ

Dangerous potholes in Palanpur: બનાસકાંઠાના પાલનપુર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં ચોમાસાની શરૂઆતથી જ રસ્તાઓ પર મોટા ખાડા દેખાવા લાગ્યા છે. શહેરથી લઈને નેશનલ હાઈવે સુધી રસ્તાઓની હાલત ખરાબ થઇ છે. ખાસ કરીને નેશનલ હાઈવે પર ચાલતા વાહનચાલકોને જીવદાની સાવચેતી સાથે વાહન ચલાવવું પડી રહ્યું છે.

ખાડાઓના કારણે જાનલેવા અકસ્માતોનું જોખમ વધી ગયું

બિહારી બાગ, હનુમાન ટેકરી અને એરોમાં સર્કલ જેવા વિસ્તારમાં નેશનલ હાઈવે પર એટલા ઊંડા ખાડા પડી ગયા છે કે તેમાં બાઇક કે કાર પટકાય તો ચાલકે પોતાનું સંતુલન ગુમાવી દે. એક્સેલ તૂટી જાય અને કમરના મણકા પણ નુકસાન પામે એવી ભયજનક પરિસ્થિતિ સર્જાઈ છે.

- Advertisement -

Dangerous potholes in Palanpur

માત્ર 100 મીટરે છે NHAI ઓફિસ, છતાં તંત્ર ઉઘાડું છે

હકીકત તો એ છે કે સૌથી મોટો ખાડો જ્યાં છે, ત્યાંથી માત્ર 100 મીટર દૂર નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસ આવેલી છે. છતાં અધિકારીઓને આ ખાડા જોવા મળ્યા ન હોવાની સ્થિતિ સ્થાનિકોમાં અસહ્ય બની ગઈ છે. લોકો કહે છે કે અધિકારીઓ કદાચ કોઈ મોટા દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે.

- Advertisement -

ઝડપી વાહનો અને અચાનક ખાડા: હાઈવે બની રહ્યો છે મોતનો રસ્તો

રોજ હજારો વાહનો પૂરપાટ ઝડપે આ હાઈવે પરથી પસાર થાય છે. ખાડા એટલા અચાનક આવે છે કે વાહનચાલક તેમને ટાળવા વાહન ટર્ન કરતા હોય છે, જેના કારણે ડિવિયેશન, અડફેટ અથવા બીજી વાહન સાથે અથડામણની શક્યતા વધી રહી છે.

Dangerous potholes in Palanpur

દર વર્ષે આવું જ થાય છે, પરંતુ તંત્રમાંથી કોઈ શીખતું નથી

પ્રત્યેક ચોમાસે ખાડાઓ વધી જાય છે, છતાં પણ નાગરિકોની સલામતી માટે તંત્ર ક્યારેય સમયસર પગલાં લેતું નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, તાજેતરમાં ખાડાના કારણે થયેલા અકસ્માતોમાં ઓછામાં ઓછા બે લોકોના જીવ ગયા છે.

- Advertisement -

તાત્કાલિક માર્ગ સુધારવાની માંગ સાથે તંત્રને જગાડવાનો પ્રયાસ

હાલમાં સ્થાનિકો અને વાહનચાલકો તંત્ર સમક્ષ પોકાર કરી રહ્યા છે કે હવે વધુ રાહ ન થાય. AC રૂમમાં બેઠેલા અધિકારીઓ હકીકત તરફ નજર ફેરવે અને ખાડાઓનું તાત્કાલિક સમારકામ શરૂ કરે. લોકો એવો પણ સવાલ ઉઠાવે છે કે ઓફિસના દરવાજા સામેના ખાડા જોવા માટે પણ શું મોત આવવું જોઈએ?

પ્રશ્ન હવે માત્ર વાહનચાલકોની મુશ્કેલી નહીં રહી — તે જાહેર સુરક્ષાનો વિષય બની ગયો છે. તંત્ર ક્યારે જાગશે અને પગલાં લેશે એજ જોવા જેવી બાબત બની છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.