ગુરુ નાનક જયંતીના અવસર પર સોમવારે બીએસઈ અને એનએસઈ સહિત દેશના મુખ્ય ઇક્વિટી, ડેટ અને મની માર્કેટ બંધ છે. નાણાકીય બજારો પર ટ્રેડિંગ એક ડિસેમ્બરથી શરૂ થશે. જોકે, કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ સાંજના સત્રમાં (સાંજે 5 થી 11:30) ટ્રેડિંગ કરશે. જાહેર રજાના કારણે એમસીએક્સ સવારના સત્રમાં (સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી) ટ્રેડિંગ નહીં કરે.
આ અગાઉ શુક્રવારે બીએસઈ સેન્સેક્સ 110.02 અંક એટલે કે 0.25 ટકા ઘટીને 44,149.72 પોઇન્ટ પર બંધ થયો હતો. તો બીજી બાજુ એનએસઈનો નિફ્ટી 0.14 ટકા ઘટીને 12,968.95 પર બંધ થયો હતો.
આ સપ્તાહે શેરબજારની ચાલ આ પાસાઓ પર નિર્ભર રહેશે
વિશ્લેષકોના જણાવ્યા અનુસાર મેક્રોઇકોનોમિક ડેટા, વાહનોના વેચાણના આંકડા અને આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ના નિર્ણયો આ સપ્તાહે શેરબજારની દિશા નક્કી કરશે. મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડના હેડ (રિટેલ રિસર્ચ) સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું કે, “આગામી સમયમાં બજારમાં સકારાત્મક વાતાવરણ રહેશે, પરંતુ જો છેલ્લા કેટલાક અઠવાડિયામાં શેરબજારમાં તેજીને ધ્યાનમાં લેવામાં આવે તો નફાવસૂલીની શક્યતાઓનકારી ન શકાય. ”
તેમણે જણાવ્યું હતું કે, અમેરિકામાં પ્રોત્સાહક પેકેજની જાહેરાતથી શેરબજાર પર પણ અસર જોવા મળશે.
ખેમકાએ જણાવ્યું હતું કે, “સ્થાનિક સ્તરે બજારને સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના જીડીપીની અપેક્ષા કરતાં વધુ સારા ડેટાનો પ્રતિસાદ મળશે. ઓટોમોબાઇલ કંપનીઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે કારણ કે નવેમ્બરમાં વેચાણના આંકડા મંગળવારથી શરૂ થશે. આરબીઆઈ શુક્રવારે મોનેટરી પોલિસીની જાહેરાત કરશે, જે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સ્ટોક્સ પર પણ નજર રાખશે. ”