Spiritual: મીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭) એક કૃષ્ણભક્ત હતાં જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્થાપ્યા હતા અને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં છે. આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહ્યબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું. મીરાંબાઈએ કૃષ્ણભક્તિની અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણને આપી છે. મુખ્યત્વે મીરાંબાઈનાં મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે. મીરાંબાઈ ના પદો વ્રજ નો ઉપરાંત હિંદી, ગુજરાતી, ઇત્યાદિ ભાષામાં મળે છે.
૧. રામ રમકડું.
રામ રમકડું જડિયું રે રાણાજી મુને ,રામ રમકડું જડિયું.
રુમઝુમ કરતુ મારે મંદિરે પધાર્યું ,
નહિ કોઈને હાથે ઘડિયું રે….રાણાજી મુને..
મોટા મોટા મુનિજન,મથી મથી થાક્યાં,
કોઈ એક વીરલાને હાથ ચડયું રે…રાણાજી …
સોન શિખરના રે ઘાટ થી ઉપર,
અગમ અગોચર નામ પડયું રે…રાણાજી…
બાઈ મીરાં કહે પ્રભુ ગીરીધર નાગર,
મારું મન શામળિયા શું માળિયું રે…રાણાજી…
૨. રામ રાખે તેમ રહીએ
રામ રાખે ત્યમ રહીએ ઓધવજી,રામ રાખે ત્યમ રહીએ,
અમે ચીઠ્ઠીના ચાકર છઈએ ઓધવજી…
કોઈ દિન પહેરીએ હિરના ચીર,તો કોઈ દિન સાદા ફરીએ,
કોઈ દિન ભોજન શીરો ને લાપશી,કોઈ દિન ભૂખ્યા રહીએ… ઓધવ જી..
કોઈ દિન રહેવાને બાગ બગીચા તો કોઈ દિન જંગલ રહીએ,
કોઈ દિન સુવાને ગાડી ને તકિયા,કોઈ દિન ભોય પર સુએ…ઓધવજી..
બાઈ મીરાં કે પ્રભુ ગીરીધર નાગર,તો સુખ દુઃખ સર્વે સહીએ..ઓધવજી…
૩.ઝેર તો પીધાં..
નથી રે પીધાં અણજાણી મેવાડા રાણા ઝેર તો પીધાં જાણી જાણી.
કોયલ ને કાગ રાણા,એક જ વરણા રે ,કડવી લાગે છે કાગવાણી…મેવાડા રાણા….
ઝેરના કટોરા જ્યારે,રાણાજી મોકલે,તેના બનાવ્યા દૂધ-પાણી…મેવાડા રાણા…
સાધુનો સંગ મીરાં છોડી દિયો રે,તમને ગણીશું પટરાણી…મેવાડા રાણા….
બાઈ મીરાં કહે પ્રભુ,ગીરીધરના ગુણ,મને રે મળ્યા સારંગપાણિ…મેવાડા રાણા…
૪.કુડી રે કાયા
હો માનસરોવર જઈએ,કુડી રે કાયા,માનસરોવર જઈએ.
હંસલો જાણીને વીરા સંગત કરીએરે,ભેળાં બેસીને મોતી ચણીએ રે….
સાધુ સંગાથે વીરા,સાધુ કહેવાયે,
નિત નિત ગંગાજી માં નાહીએ રે…કુડી રે કાયા…
માંહ્યલાએ મનડાને,કેમ તુ ભૂલ્યો વીરા,
દરસન ગુરુજીના કરીએ રે…કુડી રે કાયા….
બાઈ મીરાં કહે પ્રભુ,ગીરીધર નાગર,
ભવસાગર થી તરીએ રે…કુડી રે કાયા…
૫.બાઈ અમે બાળ કુંવારા
કાનુડો શું જાણે મારી પીડ ,હે….બાઈ અમે બાળ કુંવારા.
જળ રે જમુનાના અમે,પાણીડે ગ્યા’તાં રે,
કાનુડે ઉડાડ્યાં આછાં નીર,
હે ઉડ્યા ફરરર રરરર રે….કાનુડો શું જાણે….
હુ રે વેરાગણ કા’ના,તમારે નામની વ્હાલા,
કાનુડે માર્યા છે અમને તીર,
હે વાગ્યા અરરર રર રર રે…કાનુડો શું જાણે…
વૃંદા તે વનમાં વા’લા રાસ રચ્યો રે,
સોળસે ગોપીના તાણયાં ચીર,
હે ફાડ્યા સરરર રર રર રે…કાનુડો શું જાણે..
બાઈ મીરાં કહે પ્રભુ,ગીરીધર ના ગુણ વ્હાલા,
કાનુડે બાળીને કીધા રાખ,
હે ઉડી ફરરર રર રર રે…કાનુડો શું જાણે…
૬. દુખડા દિયે છે દા’ડી દા’ડી…
દુખડા દિયે છે દાડી દાડી,હે કાનુડા તારી મોરલી રે અમને,
દુખડા દિયે છે દાડી દાડી…
માઝમ રાતની રે મધરાતે સુરની,વાંસળી તે કોણે વગાડી,
હુ રે સુતી’તી મારા શયન ભવનમાં ને,નિંદરા તે કોણે ભગાડી…દુખડા..
સાસુ સસરાથી રે હુ તો છાનીમાની ઉઠીને,હળવેથી બાર ઉઘાડી,
વ્યાકુળ થઈને હુ તો તનડામાં મારા,પહેરતાં તો ભૂલી ગઈ સાડી..દુખડા.
કિયા રે કુહાડે તને કાપીરે લાવ્યો,કિયા રે સુથારે સુંવાળી,
શરીર જોને તારું સંઘે રે ચડાવી,તારા મનડામાં છેદ પડાવી…દુખડા …
મોરલી કહે હુ તો કામણગારી,હુ તો છું વ્રજ કેરી નારી,
બાઈ મીરાં કહે પ્રભુ ગીરીધર નાગર,તનડામાં તાપ રે સમારી…દુઃખડાં..
૭.તારું નામ.
નિત્ય નિત્ય ભજીએ તારું નામ,
હે પ્રેમે થકી અમને પ્રભુજી,એમ રાખે હો જી….
આણી તીરે ગંગા વા’લા,ઓલી તીરે જમુના વા’લા ,
હે વચમાં ગોકુળિયું રૂડું ગામ….તારું નામ.
બાઈ મીરાં કહે પ્રભુ ગીરીધરના ગુણ વા’લા,
છેલ્લી બાકીના રમો રામ..તારું નામ.