સકારાત્મક વિચારની સાથે જીવન જીવવાવાળો માણસ કાયમ સફળતાને પ્રાપ્ત કરે છે. આચાર્ય ચાણક્યએ પણ કોઈ પણ પરિસ્થિતિમાં હાર માની ન હોતી. અને પોતાના જીવનમાં આગળ વધતા રહ્યા. તેમણે પોતાની નીતિ ઓના બળ ઉપર એક નાના બાળક ચંદ્રગુપ્તને અખંડ ભારતનો રાજા બનાવી દીધો. તેમની નીતિઓ માણસના જીવન માટે હંમેશા મદદગાર રહી છે. તે તેમના નીતિ શાસ્ત્ર એટલે ચાણક્ય નીતિ માં એવી આદતો વિશે બતાવે છે.
જે માણસે કાયમ માટે છોડી દેવી જોઈએ.આ આદતોની સાથે જીવવા વાળો વ્યક્તિ કોઈ દિવસ સુખ પ્રાપ્ત કરી શકતો નથી.
ધનનો ખોટો ઉપયોગઃ જે લોકોને પોતાના પૈસા ઉપર અભિમાન હોય છે અને એ તેનો ઉપયોગ બીજાને નુકશાન કરવાના કામ માટે કરે છે. આવા માણસો ક્યારેય સફળ થતા નથી. આવા લોકોને ખરાબ માણસોની સાથે રાખવામાં આવે છે. તેવા લોકો ને ન તો સમાજ ગણકારે છે. ના તેમને કોઈ સન્માન મળે છે. લોકો આવા માણસો થી દૂર રહે છે. એટલે જ ધનનો ઉપયોગ કોઈને નુકસાન કરવામાં નહિ પરંતુ કલ્યાણ અને પોતાના વિકાસ માટે કરવો જોઈએ.
બુરાઇઃ સમાજમાં બીજા લોકોની બુરાઈ કરવાની આદતને ખોટી માનિ છે. ચાણક્ય પણ આ આદત ને સૌથી ખરાબ આદતો માં ની એક મને છે. તે કહે છે કે વ્યક્તિ એ બીજાની બુરાઈના કરવી જોઈએ. આવા લોકો સ્વાર્થી હોય છે અને ક્યારેય પણ કોઈ નું સારું વિચારતા નથી. તેમની અંદર નકારાત્મક ઉર્જા હોય છે. બુરાઈની ભાવનાથી ભરેલી વ્યક્તિની અંદરથી ઇન્સાનિયત પુરી થઇ જાય છે. છેલ્લે આવા લોકોનો સમાજ બહિષ્કાર કરી દે છે.