ભગવાન જગન્નાથ જે સાક્ષાત છે.જેમની લીલા ઓ અપરમપાર છે.ધરતી પર જન્મ્યા પછી માણસ જેમ ઋણાંનું બંધ છે તેમ જ જગન્નાથજી ની પણ લીલા ઓ છે. જગન્નાથ જી વિશે એવું કહેવામાં આવે છે સમય આવે ત્યારે એ દેહ ધારણ કરે છે અને સમય આવે ત્યારે દેહ નોં ત્યાગ પણ કરે છે.તમને ખબર જ હસે બે અષાઢ આવે ત્યારે ત્યારે જગન્નાથ જી ની નવી મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે જગન્નાથ જી માણસ નિ જેમ બીમાર પણ પડે છે અને એમની જૂની મૂર્તિ ને પધરાવવા માં પણ આવે છે.
તમને ખબર જ હસે કેં જગન્નાથ જી ની દર વર્ષે સ્નાન યાત્રા પણ કરવામાં આવે છે અને આ યાત્રા પછી ભગવાન ભકત ને 15દિવસ સુધી દર્શન નથી આપતા.કારણ કે તેઓ વધારે સ્નાન યાત્રા ને લીધે બીમાર પડી જાય છે.ભગવાન કેમ બીમાર પડે છે એ કહું તો બીમારી પાછળ નું રહસ્ય…
માધવદાસ જીં કરીને ભકત હતા જે જગન્નાથ પૂરી મા બહુ માનતા.માધવદાસજી ભગવાન માં એટલા મસ્ત રહેતા કે તેઓ દરરોજ કીર્તન-ધૂન કરતા અને દરરોજ ભગવાન ના દર્શને જતા.માધવદાસ જી ની એક દિવસે તબિયત ખરાબ થઈ અને તેઓને ઉઠવા બેસવામાં પણ તકલીફ પાડવા લાગી. તેઓ સરખી રીતે ખાઈ પણ ન હોતા શકતા.અને તેઓ કોઈ પાસેથી મદદ પણ લીધું નહિ અને કહેતા જે એમની મદદ કરવા આવે એ લોકો ને…
મારે રક્ષા નિ જરુર નથી મારી રક્ષા કરવા વાળો ભગવાન જગન્નાથ જી બેઠા છે.અને દિવસો જતા તેમની તબિયત વધારે બગડવા લાગી પણ ભગવાન એ ભકત ની મદદ કરવા માટે ખુદ ભકત ની સેવા કરી એમના ગંદા કપડાં પણ સાફ કર્યા.મધવદાસજી ને ખબર પડી કે આ તો ખુદ ભગવાન છે.ત્યારે તેમને કહ્યું..
ભગવાન તમારી ઈચ્છા થી મારો રોગ ક્ષણ માટે માં દૂર થઈ ગયો.
ભગવાન એ સામે કીધું મારાથી મારા ભકત નું દુઃખ જોવાતું નથી એટલે જ મે તારી સેવા કરી.