વૈશાખ પૂનમ એટલે કે બુદ્ધ પૂર્ણિમાનું ખાસ મહત્વ રહેલુ છે. આ પૂનમ ભગવાન બુદ્ધના અવતરણના દિવસ રૂપે મનાવાય છે. ભગવાન બુદ્ધ વિષ્ણુના નવમાં અવતાર છે. આ દ્રષ્ટિએ પણ આ પૂનમનું મહત્વ વધી જાય છે. 30 એપ્રિલ એટલે કે આજે બુદ્ધ પૂર્ણિમાં છે. આ દિવસે સિદ્ધિ મળે છે. આ દિવસે કરેલા મંત્રો તરત સિદ્ધ થાય છે.
પૂનમના દિવસે ચંદ્ર પોતાની સંપૂર્ણ કળાએ ખીલેલો હોય છે, જેથી જેઓને માનસિક રોગ છે, માનસિક તાણ છે તેઓ આ દિવસે ચાંદીના વાસણમાં ચોખ્ખા પાણીમાં થોડુ ગંગાજળ નાખી રાત ચાંદની નીચે આખી રાત રાખવું. પછી આ જળને ચાંદીના વાસણમાં ભરીને રાખી લેવું. આ જળ થોડુ થોડુ સેવન કરવાથી માનસિક રોગમાં રાહત મળે છે. આ જળમાં જળ મેળવતા જાવ આ ક્યારેય ખતમ નહિં થાય. આ જળ અનેક માનસિક રોગોમાં આરામ આપે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ‘બુદ્ધ પૂર્ણિમા’એ શુભેચ્છા પાઠવી છે. આ અવસર પર આજે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુદ્ધ જયંતિ કાર્યક્રમનું ઉધ્ધાટન કરશે. આ કાર્યક્રમનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય અને ઇન્ટરનેશનલ બૌદ્ધિસ્ટ કન્ફેડરશેનન (આઇબીસી) સાથે મળીને કરી રહ્યું છે.
અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પવિત્ર અવશેષોના દર્શન કરશે જેને ખાસ કરીને આ કાર્યક્રમ માટે રાષ્ટ્રીય સંગ્રહાલયથી ઇન્દીરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં લાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં બૌદ્ધ જયંતિ દિવસને રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવણી કરવાની જાહેરાત કરી હતી.