Makar sankranti 2025: મકરસંક્રાંતિ પર ખીચડી ખાવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ?
મકરસંક્રાંતિ 2025: હિન્દુ ધર્મમાં તમામ તહેવારો સાથે કેટલીક પરંપરા જોડાયેલી છે. આમ તો મકરસંક્રાંતિના દિવસે ખીચડી ખાવી જરૂરી માનવામાં આવે છે. પરંતુ આવો જાણીએ આ પરંપરા કેવી રીતે અને શા માટે શરૂ થઈ.
Makar sankranti 2025: હિન્દુ ધર્મમાં તમામ તહેવારોની જેમ મકર સંક્રાંતિનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે સૂર્ય ભગવાન ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ તહેવાર દેશભરમાં અલગ અલગ નામોથી ઉજવવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં તેને ખીચડી તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ દિવસે ખીચડી ખાવાની અને દાન કરવાની પરંપરા છે.
મકર સંક્રાંતિ ક્યારે છે?
વૈદિક પંચાંગ અનુસાર, વર્ષ 2025 માં મકર સંક્રાંતિનો પર્વ 14 જાન્યુઆરી, મંગળવારના દિવસે ઉજવવામાં આવશે. આ દિવસે સુર્ય દેવ સવારે 9 વાગ્યાને 3 મિનિટે ધનુ રાશિમાંથી બહાર આવીને મકર રાશિમાં પ્રવેશ કરશે.
ખીચડી ખાવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ?
મકર સંક્રાંતિના દિવસે ખીચડી ખાવાની પરંપરા સાથે જોડાયેલી એક લોકપ્રચલિત કથા છે. કથાનું અનુસાર, જ્યારે ખિલજીએ દેશ પર આક્રમણ કર્યું ત્યારે ચારે તરફ યુદ્ધ અને સંઘર્ષ ચાલતો હતો. આ સમયમાં યોગી અને સાધુઓને પોતાનો ગુજાર ચલાવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ઘણી વાર તેઓ ભૂખ્યા રહેતા હતા.
આ સમસ્યાનું ઉકેલ લાવવા માટે બાબા ગોરખનાથે એક દિશા આપી. તેઓએ કાળી ઉરદની દાળમાં ચોખા, ઘી અને કેટલીક શાકભાજી ઉમેરીને તે પકાવી. આ ભોજન ઝડપથી તૈયાર થઈ શકતું અને તે યોગીઓને ભરપેટ ભોજન સાથે તાત્કાલિક ઉર્જા આપતું હતું.
ખીચડી નામની શરૂઆત
જ્યારે આ ભોજન બનાવવામાં આવ્યું ત્યારે તે બધાને ખૂબ પસંદ પડ્યું. બોબા ગોરખનાથે આ નવા ભોજનને “ખીચડી” નામ આપ્યું. આ પ્રથમ વખત મકર સંક્રાંતિના દિવસે બનાવવામાં આવ્યું હતું. ત્યારથી મકર સંક્રાંતિના દિવસે ખીચડી બનાવવાની પરંપરા શરૂ થઈ ગઈ.
ગોરખપુરમાં ખીચડી મેલો
દર વર્ષે મકર સંક્રાંતિના દિવસે ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં ખીચડી મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળાની શરૂઆત બોબા ગોરખનાથને ખીચડીનો ભોગ ચઢાવીને કરવામાં આવે છે. ત્યારબાદ, આ મેળામાં પ્રસાદ તરીકે ખીચડી વહેંચવામાં આવે છે. આ દિવસે હજારો ભક્તો ગોરખનાથ મંદિર ખાતે ખીચડી ચડાવવા માટે ભેગા થાય છે.