અંદમાનમાં વાવાઝોડા અને ભારે વરસાદના કારણે મોટી સંખ્યા માં લોકો ફસાઈ ગયા છે આશરે 800 ટૂરિસ્ટ ફસાઈ ગયા છે. જેમાંથી 350થી વધુ ગુજરાતીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને બચાવવા માટે નેવીએ ચાર જહાજને અંદમાન નિકોબારના હેવલોક આઈલેન્ડ માટે રવાના કરી દીધા છે. હેવલોક આઇલેન્ડ પર 700થી 800 જેટલા પ્રવાસીઓ ફસાયા છે, જેમાં 50 ટકા કરતાં વધુ ગુજરાતીઓ છે. 48 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે પરિણામે પોર્ટ બ્લેરથી શીપ આવતા નથી. અહીં હોટલોના ભાડા 1200થી 2600 ચાલે છે પરંતુ અત્યારે પરિસ્થિતિનો લાભ લઇ હોટલોવાળા 12 હજારથી 15 હજાર ખંખેરી રહ્યા છે. અહીં મોબાઇલ નેટવર્કની પણ સમસ્યા છે. નેટ બંધ છે. માત્ર બીએસએનલ અને વોડાફોન દ્ધારા જ સંપર્ક કરી શકાય છે. ફ્લાઇટ બુકિંગમાં પણ હજુ વેઇટિંગ લિસ્ટ તૈયાર થઇ રહ્યું છે. સમગ્ર આઇલેન્ડ પર અફડાતફડીનો માહોલ છે. મળતી માહિતી મુજબ અંદમાન અને નિકોબાર એડમિનિસ્ટ્રેશને લોકોને બહાર કાઢવા માટે સેનાની મદદ માંગી છે. હેવલોક આઈલેન્ડ પોર્ટ બ્લેયરથી 40 કિલોમીટર દૂર છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર કે અધિકારીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, પોર્ટ બ્લેયરથી 310 કિમી દૂર પાણીમાં દબાણ બની રહ્યું છે. આ કારણે નેવીની મદદ માંગવામાં આવી છે. એનએસ બિત્રા, બંગરામસ, કુંભીર અને LCU 38 હેવલોક રવાના કરી દેવામાં આવ્યા છે. આ ચાર જહાજ દ્વારા ટુરિસ્ટોને બહાર કાઢવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ દબાણ ક્યારે કોઈ ભયાનક ચક્રવાતમાં ફેરવાઈ જાય તેનો કોઈ અંદાજ નથી. આ કારણે ટુરિસ્ટોને શક્ય તેટલાં વહેલાં નીકાળવા જરૂરી છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.