ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓ અગાઉ ભાજપ, કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ પોતાની રણનીતી તૈયાર કરી છે, દિલ્હી-પંજાબ બાદ હવે ગુજરાત સર કરવાનો પાયો નાખવા આપ સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે અમદાવાદમાં આવી પહોંચ્યા છે, આ બંને નેતા આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે તેઓ આમ આદમી પાર્ટીનો પાયો મજબૂત બનાવવા સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા કરી રહયા છે દરમ્યાન અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને આજે અમદાવાદમાં સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લઈ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેઓએ હૃદયકુંજની પણ મુલાકાત લીધી હતી.
કેજરીવાલ અને ભગવંત માન ગાંધી આશ્રમમાં 30 મિનિટ જેટલો સમય રોકાયા હતાં. કેજરીવાલે કહ્યું હતું કે અહીં શાંતિનો અહેસાસ થાય છે અને બાપુના સાનિધ્ય અનુભવાય છે, ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન તેઓએ ચરખો પણ કાત્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા આજે સાંજે 4 વાગ્યે નિકોલ ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગરબ્રિજ સુધી રોડ શો યોજનાર છે જેમાં તેઓ ભાગ લેશે,દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલાને પગલે ગુજરાતમાં પણ આવી કોઇ ઘટના ન બને એના માટે તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટી અમદાવાદમાં ચૂંટણીનું રણશીંગુ ફૂંકશે.