દહેજના ત્રાસથી અનેક પરીણિતાઓનું જીવન સંકટમય બન્યું છે. ત્યારે અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પરીણિતાએ પિયરમાંથી દસ લાખ રૂપિયા લાવી દીધા બાદ પણ સતત દહેજની માંગ કરવામાં આવી હતી.એટલું જ નહીં રોકાતા રૂપિયા માટે પરીણિતાનો પતિ તેને માર મારીને પત્ની અને દિકરાને છોડીને જતો રહ્યો હતો. આ મામલે પરીણિતાએ ફરિયાદ નોંધાવતાં અમદાવાદમાં પૂર્વ મહિલા પોલીસે પતિ સહિત આઠ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીછે
મેઘાણીનગરમાં રહેતી મહિલાએ એ ઇસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં વાડજમાં રહેતા પતિ સહિત સાસરીના આઠ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મહિલાના 2011માં સમાજના રિતરિવાજ મુજબ લગ્ન કરવામ આવ્યા હતા સગાઇ વખતે જ પતિએ મહિને 50 હજાર પગાર હોવાની વાત જાણ કરી લગ્ન સમયે મહિલાના પિતાએ દસ લાખના દાગીના તથા એક લાખ રોકડા અને ઘરવખરીનો બધો સામાન પણ આપ્યો હતો લગ્ન બાદ પરીણિતાને થોડા મહિના સુધી સારી રીતે રાખવામાં આવી હતી.લગ્ન બાદ પતિએ એટલી હદે ત્રાસ આપ્યો કે ભાડાના ઘરમાં રહેતાં હોવાથી ઘરનું ભાડુ પણ સમયસર આપતો ન હતો.દીકરો બીમાર થાય તો તેની સારવાર માટે હોસ્પિટલના પૈસા પણ આપતો ન હતો.અને સગાસંબંધી પાસે થી ઉધાર પૈસા લઈ આવીને દારૂ પીતો હતો અને દિકરાના અભ્યાસના પૈસા આપતો નહતો. એવું મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. અને એવું પણ જણાવ્યું કે જો હું પૈસા ના આપું તો મને મારશે અને મારી સાસરીપક્ષના લોકો મારા પતિને મારા વિરૂદ્ધ ચઢામણી કરતાં હતાં ધધામાં નુકસાન થતા પતિએ પત્નીના પિયરમાંથી રૂપિયા લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. જેથી મહિલાએ એફડી તોડાવીને તેમજ પિયરમાંથી દસ લાખ લાવીને આપ્યા હતા. પતિ કોઇ કામ ધંધો કરતા ન હતા અને આખો દિવસ ઘરે બેસી રહેતો હતા.પતિએ વાહન તથા દાગીના વેચી દીધા હતા. દિકરાના અભ્યાસ માટે અને ઘરખર્ચ માટે પણ રૂપિયા આપતો ન હતો અને અને પિયરમાંથી વધુ રૂપિયા લાવવાની પણ માંગણી કરતો હતો સાથે મારઝૂડ કરીને બાળક અને પત્નીને એકલી મુકીને પતિ ઘર છોડીને જતો રહ્યો હતો. બાદમાં પરીણિતાએ પતિ સહિત આઠ લોકો સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.