નવ દુર્ગા નાં નવ સ્વરૂપો ની આરાધના એટલે નવરાત્રિ.
જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે નવરાત્રી માં નવદુર્ગા જગદમ્બા આદ્યશક્તિ ની ઉપાસના નું પર્વ આરાધના નું પર્વ છે નવરાત્રી ના નવ દિવસ માં માતાજી ના વિવિધ નવ સ્વરૂપોની પૂજા આરાધના કરવાનું વિધાન શાસ્ત્રોમાં સુંદર રીતે આપેલ છે. સાધક પોતાના ઘરમાં ઘટસ્થાપન કરે છે અને નવ દિવસ સાધક આદ્યશક્તિની આરાધના સાધના પુર્ણ શ્રધ્ધા થી કરે છે.આ આદ્યશક્તિ નવદુર્ગા ના પૂજનથી સંસાર ના સમસ્ત, દુ:ખો, કષ્ટો, રોગ, શોક, નિર્ધનતા વગેરે દૂર થાય છે.
આસો સુદ એકમ એટલે નવરાત્રિ પ્રારંભ ૧૭/૧૦/૨૦૨૦ શનિવારે,
ગરબો લાવવા માટે નું મુહૂર્ત તથા ઘટ સ્થાપના નું મુહૂર્ત.
સવારે ૭.૩૦ થી ૯.૦૦ ,
બપોરે ૧૨.૦૦ થી ૪.૩૦
સાંજે ૬.૦૦ થી ૭.૩૦.
આસો સુદ અષ્ટમી દુર્ગાષ્ટમી
૨૩/૧૦/ ૨૦૨૦ ને શુક્રવારે સવારે ૭.૦૦ વાગ્યે શરૂ થઈ ને શનિવારના દિવસે ૨૪/૧૦/૨૦૨૦ નાં સવારે ૬.૫૮ સુધી જ છે.
માટે આઠમ ના નૈવેદ્ય તથા હવન શુક્રવારે ૨૩/૧૦/૨૦૨૦ નાં રોજ જ કરવા.
આસો સુદ નવમી તિથી. શનિવાર
તારીખ ૨૪/૧૦/૨૦૨૦ ને શનિવારના સવારે ૭.૦૦ વાગ્યે શરૂ થઈ રવિવારે ૨૫/૧૦/૨૦૨૦ ને રવિવાર નાં રોજ સવારે ૭.૪૧ સુધી જ છે.
માટે નવમી નાં નૈવેદ્ય તથા હવન ૨૪/૧૦/૨૦૨૦ ને શનિવારના દિવસે જ કરવા.
આસો સુદ દશમી વિજયાદશમી.
તારીખ ૨૫/૧૦/૨૦૨૦ ને રવિવારે સવારે ૭.૪૨ થી શરૂ થાય છે.
દશમી નાં હવન તથા નૈવેદ્ય તે જ દિવસે ( રવિવારે જ) કરવા .
ગરબો પધરાવવા નું મુહૂર્ત
રવિવારે ૨૫/૧૦/૨૦૨૦ નાં સાંજે
૬.૦૦ થી ૭.૩૦,
૭.૩૦ થી ૯.૦૦ ,
૯.૦૦ થી ૧૦.૩૦ સુધી છે.