શું તમે નવો બિઝનેસ કરી કરવાની યોજના બનાવી રહ્યા છે, જો જવાબ હા છે, તો અમે આજે એક બહુ સરળ બિઝનેસ વિશે જણાવીશુ. જે હેઠળ કેન્દ્ર સરકાર નાણાકીય સહાય અને ઇન્સેન્ટિવ આપી રહી છે. તો ચાલો જાણીયે
ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે કેન્દ્ર સરકારે ઘણી યોજના શરૂ કરી છે. જેમાં તાજેતરમાં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમની જાહેરાત તાજેતરના બજેટ પ્રવચનમાં કરી હતી. આ સ્કીમ હેઠળ સરકાર ભારતમાં ચીજવસ્તુઓનું ઉત્પાદન કરીને તેનુ વેચાણ કરવા પણ ઇન્સેન્ટિવ આપી રહી છે.
આજે કેન્દ્ર સરકારે એર કન્ડિશનર અને એલઇડી લાઇટ્સને પણ પીએલઆઇ સ્કીમ આવરી લીધી છે. કેન્દ્ર સરકારે ફરી પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમનું વિસ્તરણ કર્યુ છે. PLI સ્કીમ હેઠળ એર- કન્ડિશનર, એલઇડી લાઇટ અને સોનલ પેનલ્સનું મેન્યુફેક્ચરિંગ કરવા માટે સરકારે મોટી નાણાકીય સહાય આવપાનો નિર્ણય લીધો છે. આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઇ હતી જેમાં ઘણા મહત્વપૂર્ણ આર્થિક નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને પ્રકાશ જાવડેકરે સરકારના આ નિર્ણય અંગે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી. પીયુષ ગોયલે કહ્યુ કે, આજે એસબી અને એલઇડી લાઇટના પ્રોડક્શનની માટે લગભગ 6,238 કરોડ રૂપિયાની PLI સ્કીમને મંજૂરી આપવામાં આવી છે અને આ રકમ આગામી પાંચ વર્ષમાં આપવામાં આવશે.
વ્હાઇટ ગુડ્સ માટેની પી.એલ.આઇ. સ્કીમ એસી અને એલઇડી લાઇટના ઉત્પાદનમાં રોકાયેલા કંપનીઓને પાંચ વર્ષના ગાળા માટે ભારતમાં ઉત્પાદિત માલના વધારાનું વેચાણ પર 4 થી 6 ટકા પ્રોત્સાહન આપશે, એમ સરકારે એક નિવેદનમાં જાહેરાત કરી હતી. આ PLI સ્કીમ લાગુ થવાથી એમએસએમઇ સેક્ટરને મોટો ફાયદો થશે. તેનાથી મોટા પ્રમાણ રોજગારીનું સર્જન પણ થશે. મંત્રીએ વધુમાં જણાવ્યુ કે, PLI સ્કીમમાં એસી, એલઇડી ઉપકરણોને શામેલ કરવાથી તેના ભારતને આત્મનિર્ભર બનાવવવામાં પણ મદદ મળશે.
સરકારે આજે એસસી અને એલઇડી લાઇટના પ્રોડક્શનની માટે લગભગ 6,238 કરોડ રૂપિયાની PLI સ્કીમને મંજૂરી આપવામાં આવી છે અને આ રકમ આગામી પાંચ વર્ષમાં આપવામાં આવશે. વ્હાઇટ ગુડ્સ માટેની પી.એલ.આઇ. સ્કીમ એસી અને એલઇડી લાઇટના ઉત્પાદનમાં રોકાયેલા કંપનીઓને પાંચ વર્ષના ગાળા માટે ભારતમાં ઉત્પાદિત માલના વધારાનું વેચાણ પર 4 થી 6 ટકા પ્રોત્સાહન આપશે, એમ સરકારે એક નિવેદનમાં જાહેરાત કરી હતી.. તેનાથી મોટા પ્રમાણ રોજગારીનું સર્જન પણ થશે. મંત્રીએ વધુમાં જણાવ્યુ કે, PLI સ્કીમમાં એસી, એલઇડી ઉપકરણોને શામેલ કરવાથી તેના ભારતને આત્મનિર્ભર બનાવવવામાં પણ મદદ મળશે.