દેશમાં 1 એપ્રિલથી કેટલીક બેન્કોની ચેકબુક અને પાસબુક ઇનવેલિડ થઇ જશે. આ એવી બેન્કો છે જેમનુ અન્ય બેન્કમાં મર્જર 1લી એપ્રિલ 2019થી 1 એપ્રિલ 2020થી લાગુ થયુ છે. આ બેન્કોના નામ આ પ્રમાણે છે દેના બેન્ક, વિજ્યા બેન્ક, કોર્પોરેશન બેન્ક, આંધ્ર બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેન્ક અ અલ્હાબાદ બેન્ક છે.
દેના અને વિજ્યા બેન્કનું મર્જર બેન્ક ઓફ બરોડામાં થયુ હતુ અને તે 1 એપ્રિલ 2019થી અમલમાં આવ્યુ. તો ઓરિએન્ટલ બેન્ક અને યુનાઇટેડ બેન્કનું મર્જર પંજાબ નેશનલ બેન્કમાં, સિન્ડિકેટ બેન્કનું મર્જર કેનેરા બેન્કમાં તેમજ આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કનું મર્જર અલ્હાબાદ બેન્કમાં થયુ છે.
અન્ય બેન્કોમાં મર્જર થયેલા બેન્કોના ગ્રાહકના એકાઉન્ટ નંબર, IFSC, MICR કોડ, બ્રાન્ચ એડ્રેસ, ચેકબુક, પાસબુક વગેરે બદલાઇ જાય છે. પંજાબ બેન્ક અને બેન્ક ઓફ બરોડા પહેલાથી જણાવી ચૂકી છે કે OBC, યુનાઇટેડ બેન્ક, વિજ્યા બેન્ક અને દેના બેન્કની હાલના ચેકબુક માત્ર 31 માર્ચ 2021 સુધી માન્ય રહેશે. આવી જ રીતે મર્જર થયેલી અન્ય બેન્કના ગ્રાહકોની હાલની ચેકબુક અને પાસબુક પણ માત્ર 31 માર્ચ સુધી જ માન્ય રહેશે. હવે મર્જર થયેલી બેન્કોના ગ્રાહકોએ 1લી એપ્રિલથી નવી ચેકબુક અને પાસબુક લેવી પડશે.
આ કામ પણ કરવુ પડશે
નવી ચેકબુક, પાસબુક મળ્યા બાદ વિવિધ ફાઇનાન્સિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં નોંધાયેલી પોતાની બેન્કિંગ માહિતીને પણ અપડેટ કરવી પડશે. જેમ કે, મ્યુચ્યુઅલ ફંડ્સ, ટ્રેડિંગ એકાઉન્ટ્સ, વીમા પોલિસી, ઇન્કમ ટેક્સ એકાઉન્ટ, એફડી/ આરડી, પીએફ એકાઉન્ટ અને અન્ય ઘણી બાબતોમાં જ્યાં તમે પોતાના બેન્ક એકાઉન્ટની માહિતી આપેલી છે.