કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સોમવારે સંસદના ટેબલ પર સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. કોરોના સંકટમાંથી બહાર આવી આવેલા દેશને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. હકીકતમાં, કોરોના કટોકટીની સૌથી વધુ અસર અનૌપચારિક ક્ષેત્રના પ્રવાસી કામદારો પર પડી હતી. લોકડાઉનને કારણે મોટી સંખ્યામાં પ્રવાસી કામદારો બેકાર બન્યા હતા. આ કામદારોને મદદ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ અનેક સામાજિક કલ્યાણ યોજનાઓ શરૂ કરી હતી. જાણો સમાજ કલ્યાણ માટે બજેટમાં શું પગલાં લેવામાં આવ્યા છે…
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, ઉજ્જવલા યોજનાનું વિસ્તરણ વધુ 1 કરોડ લાભાર્થીઓને આવરી ને કરવામાં આવશે, જેમાં આગામી 3 વર્ષમાં શહેરના ગેસ વિતરણ નેટવર્કમાં વધુ 100 જિલ્લાઓનો ઉમેરો કરવામાં આવશે.
નાણાં મંત્રીએ કહ્યું કે વીમા કંપનીઓમાં એફડીઆઈ 49%થી વધારીને 74% કરવાની જોગવાઈ કરવામાં આવી છે.