ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસ પક્ષે આજે સ્પષ્ટ રીતે પાટીદાર અનામત આંદોલન પ્રત્યે તેમનું વલણ સ્પષ્ટ કરતાં પાટીદારોને અનામત આપવા વિશે હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (જીપીસીસી)ના અધ્યક્ષ શુક્રવારે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કનવીનરોને મળીને આ બાબતે તેમનું વલણ જણાવ્યું હતું અને આ જ બાબતને લઈને પાર્ટી કેવી રીતે ગુજરાતમાં આગળ વધશે તેના માટે શનિવારે દિલ્હી હાઈકમાન્ડ જોડે જઈને રજૂઆત કરશે. પાસના ત્રણ કન્વીનર દિનેશ બાંભણિયા, વરૂણ પટેલ અને મનોજ પટેલએ આજે જીપીસીસીના અધ્યક્ષ ભરત સોલંકી સાથે તેમના નિવાસ સ્થાને મીટીંગ કરી હીત. જેમાં તેમણે પાટીદાર ચળવળની ચાર માગણીઓની રજૂઆત કરી હતી. તેમની રજૂઆતોમાં મુખ્યત્વે પહેલી માગણી એ હતી કે પાટીદારોને અનામત આપવામાં આવે, બીજું કે 2015 ઓગસ્ટમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદારો પર પોલીસ દ્વારા કરવામાં આવેલા જૂલ્મમાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાયદાકીય પગલા લેવા, ત્રીજી બાબત હતી કે આ દરમ્યાન પોલીસ દમનમાં શહિદોને વળતર ચૂકવવા અને પાટીદાર માટે એક અલગ આયોગની રચના કરવા બાબતે પણ તેમણે રજૂઆત કરી હતી.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.