હાલમાં રાજ્યમાં કડકડતી ઠંડી અને વરસાદનો માહોલ છે. બીજી બાજુ શહેરમાં કોરોનાનો કહેર ઝડપી વધી રહ્યો છે ત્યારે ગરીબ લોકોને ઠંડી અને વરસાદથી બચવા માટે એક માત્ર ઝૂંપડું એમનો સહારો છે જેના પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બુલડોઝર ફેરવી નાખ્યું છે ઝૂંપડા પર બુલડોઝર ફરી વળતાં ગરીબ લોકો બેરોજગાર થઈ ગયા ઠંડી અને વરસાદ અને કોરોનાના કહેર મહામારીના વચ્ચે પોતાના નાનાં બાળકો અને વૃદ્ધ લોકોને લઈને ક્યાં જશે અને ક્યાં રહેશે એ સૌથી મોટો સવાલ છે. શહેરના જુના વાડજ વિસ્તારમાં એક મહિલા પોતાના તૂટેલા ઝૂંપડાની વચ્ચે છ મહિનાના બાળકને તેડી વિવાસ બનીને ઉભી રહી હતી.કડકડતી ઠંડી અને માવઠાના માહોલમાં અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં એક મહિલા પોતાના તૂટેલા ઝૂંપડાની વચ્ચે 6 મહિનાના બાળકને બગલમાં લઈને ઉભી છે. તેનો એક સહારો એમનું ઝૂંપડું એ પણ રહ્યું નથી તે ક્યાં જાય ને જ્યાં મકાનો આપેલા છે ત્યાં પાણી નથી ને કહેવાય પાણી વગર તો માનવી નું જીવન અધૂરું છે પાણી વગર માણસ રહી શકે તેમ નથી. આવી પરિસ્થિતિ અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં BRTS બસ સ્ટેન્ડ સામે આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા આશરે 200 જેટલા ગરીબ લોકોની પરિસ્થિતિ આજે થઈ ગઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આજે જુના વાડજ સર્કલ નજીક BRTS બસ સ્ટેન્ડ સામે આવેલી ઝૂંપડપટ્ટી ઓમાં રહેતા ગરીબોના ઝુંપડા ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું.દસ્તાવેજ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન રજૂ કરનાર કેટલાક લોકોને ચાંદખેડા વિસ્તારમાં આવેલા TP 44 આવાસ યોજનાના મકાનોમાં મકાન ફાળવવામાં આવ્યા હતા.પરંતુ કોર્પોરેશનના હાઉસિંગ ખાતાની બેદરકારીના કારણે ત્યાં છેલ્લા છ મહિનાથી પાણી ના આવાના કારણે ફરી તેમને રોડ રહેવાની ફરજ પડી હતી. હવે આજે કોર્પોરેશને તેઓના ઝુંપડા તોડી નાખતા અને તેઓને રોડ પર રહેવાની ફરજ પડી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે જુના વાડજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન રિઝર્વ પ્લોટમાં ગુજરાત હાઈકોર્ટનો સ્ટે હટયા બાદ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 50 જેટલાં ઝૂંપડાં ને તોડવામાં આવ્યા હતા ત્યારે ગરીબ લોકોના ચહેરા પર હૃદયદ્વાવક દુઃખદ દ્રશ્યો જોવા મળ્યા 100 જેટલા લોકોને કોર્પોરેશન દ્વારા મકાનો ફાળવ્યા હતા પરંતુ આ મકાનોમાં છેલ્લા છ મહિનાથી પાણી અને ગટરની પણ સમસ્યા હતી જેના કારણે આ રહીશો પરત આવી ગયા હતા.એક મહિલાએ જણાવ્યું કે અમે અહીંયા વર્ષોથી રહેતા હતા જ્યારે કોર્પોરેશન દ્વારા અને મકાન ખાલી કરાવવામાં આવ્યા ત્યારે ચાંદખેડા વિસ્તારમાં TP-44 માં અમને મકાન આપવામાં આવ્યા હતા પરંતુ ત્યાં પાણી જ આવતું ન હતું જેના કારણે અમે અહીંયા પરત રહેવા આવી ગયા હતા પરંતુ હવે ફરી એકવાર મકાનો તુટી જતા ક્યાં રહેવા જઈશું ? હવે તો રોડ પર જ અમારો સહારો છે