અમદાવાદના મેમકો વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ સાસરીયાના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાતા ત્યાં ની સ્થાનિક પોલીસ તપાસ હાથ ધરી છે પરિણીતાની માતા દ્વારા આક્ષેપ કરાયો છે કે, તેમની દીકરીને દહેજ ઓછું આપવાના લીધે સાસરીવાળા સતત હેરાન કરતા હતા તેથી કંટાળી ને ગળે ફાંસો ખાધા પહેલા રાત્રે જ દીકરીએ તેમને ફોન કરીને ઘરે પરત લઈ જવા માટે કહ્યું હતું. બીજા દિવસે સવારે જ દીકરીએ ફાંસો ખાઈ લીધો હોવાના પરિવારને સમાચાર મળ્યા. આ ઘટનાની વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશની કવિતા (નામ બદલ્યું છે)ના 8 જૂન 2019માં મધ્ય પ્રદેશના નિવાસી અને અમદાવાદમાં રહેતા કુલદીપસિંહ નામના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન વખતે યુવકના પરિવારે રૂ.10 લાખના દહેજની માંગ કરી હતી. જોકે તે સમયે યુવતીના પરિવારજનોએ 4 લાખ આપ્યા અને બાકીના લગ્ન બાદ થોડા થોડા આપવાની વાત પણ કરી હતી. પરંતુ દહેજ ઓછું મળવાના કારણે લગ્ન પછીથી જ યુવતીને દહેજ મામલે શારીરિક અને માનસિક ત્રાસ સાસરીયાંઓ આપતા હતા .આ વાત પરિણીતાએ પોતાના પરિવારજનોને ફોન પર ઘણીવાર જણાવી હતી.
27મી ડિસેમ્બરે બપોરે કવિતા એ પતિના ફોનથી પોતાના ભાઈને કરીને કહ્યું હતું કે, મુજે ઘર આના હૈ. જેથી ભાઈએ શું થયું એમ પૂછતાં તેના કુલદીપસિંહે જવાબ આપ્યો, ‘આજ મેં થોડી બિયર પી કર ઘર આયા થા, તો થોડા સા ઝઘડા હો ગયા.’ આ બાદ ભાઈએ તેની માતા સાથે બહેનની વાત કરાવતા યુવતીએ ફોનમાં કહ્યું, મમ્મી યે લોગ પરેશાન કર રહે હૈ મુઝે લે જા.’ ત્યાર બાદ ફોન કટ થઈ ગયો હતો. આથી કવિતા સાથે વધારે વાત થઈ શકી નહોતી.
બીજા દિવસે સવારે પોણા છ વાગ્યે સાસરીથી કવિતા ના ભાઈને ફોન આવ્યો અને કહેવાયું કે, ‘આપકી બહેનને ફાંસી ખાલી હૈ. ઉસકી લાશ લે જાઓ.’ ત્યાર બાદ પરિવાર ઉત્તર પ્રદેશથી અમદાવાદ પહોંચ્યો હતો. દીકરીની લાશને પી.એમ માટે અમદાવાદ સિવિલમાં લઈ જવાઈ હતી, જ્યાં પરિવારને તેના કપાળમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા. જેથી પરિવારે આ મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં દીકરીના પતિ કુલદીપસિંહ સહિત સાસરીયા વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.