દેશમાં કોરોના વારસી બીજી લહેરના કારણે હાહાકાર મચ્યો છે. આ સંકટ વચ્ચે શુક્રવારે સુપ્રીમ કોર્ટેમાં મહત્વની સુનવણી થઇ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોરોના વાયરસ અંગે નેશનલ પ્લાન મંગ્યો છે. સાથે એક ચિંતા પણ વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયા પર જે લોકો પોતાની સમસ્યા બતાવી રહ્યા છે, તેમની સાથે ખરાબ વ્યવહાર ના થવો જાેઇએ. અદાલતમાં સુનવણી દરમિયાન જસ્ટિસ્ટ ચંદ્રચૂડે કહ્યું કે હું અહીં એક ગંભીર વિષય ઉઠાવવા માંગુ છું. જાે કઇ પણ નાગરિક સોશિલ મીડિયા અથવા તો અન્ય કોઇ પ્લેટફોર્મ પર પોતાની મુશ્કેલી જાહેર કરે તો, તેનો ઓ અર્થ નથી કે તે ખોટા છે. કોઇ પણ પ્રકારની માહિતિને દબાવવી ના જાેઇએ.
સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે દરેક રાયને આ કડક સંદેશો પહોંચવો જાેઇએ કે જાે કોઇ નાગરિકે સોશિયલ મીડિયા પર મદદની અપીલ કર્યા બાદ તેના પર કોઇ એકશન લેવામાં આવી તો, તેને કોર્ટનની અવમાનના ગણવામાં આવશે. કોઇ પણ રાજ્ય કોઇ પ્રકારની માહિતિને દબાવી ના શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપણે અત્યારે રાષ્ટ્રિય સંકટની સ્થિતિમાં છીએ. તેવામાં સામાન્ય લોકોની વાત સાંભળવી ખૂબ જરુરી છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ટિપ્પમઈ એવા સમયે કર છે જ્યારે કેન્દ્ર સરકાર પર રોપ લાગ્યો છે કે ફેસબૂક અને ટિ્વટર પર જે લોકો બેડની અને ઓક્સિજનની મદ માંગતી પોસ્ટ કરી રહ્યાછે તેને હટાવી રહી છે. આ સ્વાય ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિ પર અફવા ફેલાવાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ યુવકે સોશિયલ મીડિયા પર ઓક્સિજન માટે મદદ માંગી હતી,જ્યારે તે દર્દી કોરોના પોઝિટલ નહોતો.
દરમિયાનમાં કોરોનાના મામલે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટએ કેંદ્ર સરકારને પૂછ્યું કે જરૂરી દવાઓનું ઉત્પાદન અને વિતરણ સુનિશ્વિત કેમ થઇ રહ્યું નથી? કેંદ્રએ સોગંધનામામાં કહ્યું કે દર મહિને સરેરાશ એક કરોડ ત્રણ લાખ રેમડેસિવિર ઉત્પાદ કરવાની ક્ષમતા છે, પરંતુ સરકારે માંગ અને સપ્લાયની જાણકારી આપી નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેંદ્રએ ફાળવણીની રીત પણ જણાવી નથી, કેંદ્રએ ડોક્ટરોને કહેવું જાેઇએ કે રેમડેસિવિર અથવા ફેવિફ્લૂના બદલે અન્ય ઉપયુક્ત દવાઓ પણ દર્દીઓને જણાવે, મીડિયા રિપોર્ટ કહી રહ્યા છે કે આરટીપીસીઆર સાથે કોવિડના નવા રૂપની તપાસ થઇ શકતી નથી, તેમાં અનુસંધાનની જરૂર છે.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેંદ્રએ પૂછ્યું કે તમે ૧૮-૪૫ વર્ષ દરમિયાન ઉંમરવાળાને વેક્સીન લગાવવાની યોજના બનાવી છે, શું કેંદ્ર પાસે કોઇ કોષ પણ છે, જેથી વેક્સીનના ભાવ સમાન રાખી શકાય? કેંદ્ર સરકારે એ પણ જણાવવું પડશે કે ભારત બાયોટેક અને સીરમ ઇંસ્ટીટ્યૂટને કેટલું ફંડ આપ્યું છે. જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડે કહ્યું કે હું મેં ગાજિયાબાદમાં ગુરૂદ્વારા લંગર વિશે વાંચ્યું, લોકો ચેરિટી કરી રહ્યા છે, પરંતુ ફક્ત અમે ચેરિટી પર છોડી શકતા નથી, વેક્સીનનું મૂલ્ય નિર્ધારણનો મુદો અસાધારણ રૂપથી ગંભીર છે, આજે તમે કહો છો કે કેંદ્રને પ્રદાન કરવામાં આવેલા ૫૦% વેક્સીનનો ઉપયોગ ફ્રંટલાઇન શ્રમિકો અને ૪૫થી વધુ ઉંમરના લોકો રસીકરણ માટે કરવામાં આવશે. બાકી ૫૦% રાજ્યો દ્વારા ઉપયોગ કરવામાં આવશે. ૫૯.૪૬ કરોડ ભારતીય ૪૫ વર્ષથી નાની ઉંમરના છે, તેમાંથી ઘણા ગરીબ અને હાંસિયા પર છે. તેમને વેક્સીન ખરીદવા માટે પૈસા ક્યાંથી મળશે.
જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડે કહ્યું કે અમે જાણિએ છીએ કે કેટલી રસીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. પરંતુ આપણે એ સુનિશ્વિત કરવાની જરૂર છે કે તમે ઉત્પાદનમાં વધારો કરો. વધારાનું ઉત્પાદન એકમોને જાેડવા માટે જનહિતકારી શક્તિનો પ્રયોગ કરવાની જરૂર છે, આ વિચાર રાજ્યો અને કેંદ્રની ટીકા કરવા માટે નથી. અમે જાણીએ છીએ કે સ્વાસ્થ્યની માળખાગત ઇંફ્રાસ્ટ્રક્ચર વારસામાં મળ્યા છે, પરંતુ આપણે આપણા રાષ્ટ્રના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છીએ.
જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડએ કહ્યું કે અમે નાગરિકોને ઓક્સિજન સિલિન્ડર માટે રોતા સાંભળ્યા છે, દિલ્હીમાં હકિકતમાં ઓક્સિજન ઉપલબ્ધ નથી, ગુજરાતમાં પણ એવું જ છે..તમારે ભવિષ્યમાં અમને જણાવવું પડશે કે આજે આગામી સુનાવણીન દિવસોમાં શું સારું થયું.