નવી દિલ્હી,
વાયુસેનાના પૂર્વ ચીફ બીએસ ધનોઆએ ગુરુવારે જણાવ્યું કે, પાકિસ્તાને કેમ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને છોડવા પડ્યા. તેમણે કહ્યું કે, બાલાકોટ એર સ્ટ્રાઈક પછી ભારતના સૈન્યનું વલણ ઘણું આક્રમક હતું અને કદાચ એ જ કારણે પાકિસ્તાનના સાંસદ કહી રહ્યા છે કે, તેમના આર્મી ચીફના પગ કાંપી રહ્યા હતા. આ પહેલા પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનના નેતા અયાઝ સાદિકે નેશનલ એસેમ્બલીમાં ખુલાસો કર્યો હતો કે વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ તેમને કહ્યું હતું કે, જો તેમના દેશે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને નહીં છોડે તો રાત્રે ૯ વાગ્યા સુધી ભારત પાકિસ્તાન પર હુમલો કરી દેશે.
બાલાકોટ એર સ્ટ્રાઈકના બીજી દિવસે ૨૭ ફેબ્રુઆરીએ મિગ-૧ બાઈસન ઉડાવી રહેલા વિંગ કમાન્ડર અભિનંદન એલઓસી ક્રોસ કરી ગયા હતા. તેમનું વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું, પરંતુ તે સુરક્ષિત લેન્ડિંગ કરી ગયા હતા અને પાકિસ્તાનની સેનાએ તેમને પોતાના કબજામાં લઈ લીધા હતા. પીએમએલ-એન નેતા સરદાર અયાઝ સાદિકે નેશનલ એસેમ્બલીમાં પોતાના ભાષણમાં કહ્યું કે, મને યાદ છે કે ,કુરેશી ઈમરાન ખાન સાથે મીટિંગ કરાવ ગયા હતા, પરંતુ તે (ઈમરાન) સામેલ થયા ન હતા. ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ બાજવા રૂમમાં આવ્યા હતા. તેમના પગ કાંપી રહ્યા હતા અને તેઓ પરેસેવાથી રેબઝેબ હતા. વિદેશ મંત્રીએ કહ્યું કે, તને (વર્તમાનને) છોડી દેવો જોઈએ, કેમકે ભારત રાત્રે ૯ વાગ્યે પાકિસ્તાન પર હુમલો કરી રહ્યું છે.
ભારતીય વાયુસેનાના ૩૭ વર્ષના અધિકારી અભિનંદન વર્તમાનનેને ૨૭ ફેબ્રુઆરીએ પાકિસ્તાનની સેનાએ એ સમયે બંદી બનાવી લીધા હતા, જ્યારે પાકિસ્તાનના વિમાનોનો પીછો કરતા-કરતા વર્તમાનનું મિગ-૨૧ બાઈસન વિમાન દુર્ઘટનાનો શિકાર થઈ ગયું હતું. ભારતીય વાયુસેનાના વિમાનોએ ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯એ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા ક્ષેત્રના બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અડ્ડાઓને નષ્ટ કરી દીધા હતા. વર્તમાનને વિમાન પડતા પહેલા પાકિસ્તાનના એક એફ-૧૬ વિમાનને તોડી પાડ્યું હતું. પાકિસ્તાને તેમને એક માર્ચે ભારતને સોંપ્યા હતા.