મુંબઇઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસો ફરી વધતા ત્યાંની રાજ્ય સરકાર હરકતમાં આવી. અન્ય રાજ્યમાંથી આવતા લોકો માટે ફરજિયાત કોરોનાનો નેગેટિવ રિપોર્ટનો નિયમ લાવી છે. મહારાષ્ટ્રમાં પ્રવેશતા લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ હશે તો જ તેમને રાજ્યમાં પ્રવેશવા દેવામાં આવશે.
આ નિયમ ગોવા, રાજસ્થાન, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાંથી વિમાન, ટ્રેન-બસ કે ખાનગી વાહનથી આવતા તમામ લોકોને લાગુ પડશે.
બીજા શબ્દોમાં કહીયે તો મહારાષ્ટ્રમાં પ્રવેશવા માટે લોકોએ પહેલાથી જ પોતાનો RT-PCR કોરોનો રિપોર્ટ કરાવી લેવો પડશે. જેમાં પણ વિવિધ રૂટ હેઠળ આવતા મુસાફરો માટે નિયમો અલગ-અલગ રહેશે.
જેમાં વિમાન માર્ગે મહારાષ્ટ્રમાં આવતા મુસાફરોનો 72 કલાકની અંદર, ટ્રેનથી આવતા મુસાફરોનો 96 કલાકની અંદર કરાવેલ RT-PCR રિપોર્ટ જ માન્ય ગણાશે. આ RT-PCR કોરોના રિપોર્ટ નેગેટિવ હશે તેમને જ રાજ્યમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.