ટીવી એકટ્રેસ રાખી સાવંત ટૂંક સમયમાં સાવધાન ઇન્ડિયાના એક એપિસોડમાં ખરાબ વહુ તરીકેનો અભિનય તરીકે નજરે પડશે. રાખીના આ રોલમાં તે એક ૧૬ વર્ષના છોકરા સાથે લગ્ન કરી લે છે. આ અંગે વાતચીત કરતા રાખીએ આ એપિસોડ સંબંધિત અને અન્ય કેટલીક બાબતો અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. રાખીના કહેવા મુજબ સાત વર્ષ અગાઉ ટેલિવિઝન પર એક રિયાલિટી શો આવ્યો હતો. રાખી કા સ્વયંવર જેમાં રાખીને ઘણી બધી લગ્ન માટેની ઓફરો મળી હતી. જેમાં એનઆરઆઈ બિઝનેસમેન ઈલેશ પરજનવાલાને તેણે નક્કી પણ કરી લીધો હતો પરંતુ પાછળથી કોઈક કારણસર આ સંબંધ બંધાઈ શક્યો ન હતો. ત્યારથી લઈ આજ દિન સુધી રાખીને કોઈ યોગ્ય મુરતીયો મળી રહ્યો નથી. આ પરિસ્થિતિ વચ્ચે રાખીના એક નિવેદને સૌને ચોંકાવી દીધા હતા. રાખીનું કહેવું છે કે ઈલેશને તેણે ખૂબીઓ માટે નહીં પરંતુ રૂપિયાના કારણે પસંદ કર્યો હતો. રાખીનું કહેવું છે કે હું કોઈ યંગ બોય અથવા તો સ્ટ્રગલર સાથે લગ્ન કરવા માટે ઈચ્છતી નથી. હું એક એવા માનવી સાથે લગ્ન કરવા ઈચ્છુ છું જે મારી અને મારી જરૂરિયાતોનું ધ્યાન રાખી શકે. રાજકારણમાં પ્રવેશ કરવાના પોતાના નિર્ણય અંગે રાખીએ કહ્યું છે કે મને અફસોસ છે કે રાજકારણમાં પ્રવેશ કરવાનો મારો નિર્ણય ખોટો સાબિત થયો. આ સાથે જ ટીવી ક્ષેત્ર છોડવાનો જે મારો નિર્ણય હતો તે પણ યોગ્ય ન હતો. કારણ કે
આજે હું જે કઈપણ છું તે ટીવી અને મારા આઈટમ સોન્ગને કારણે છું. ટીવી દુનિયામાં હું રાજકુમારી હતી અને તેને છોડી હું એવા ફિલ્ડમાં ચાલી ગઈ કે જ્યાં મને કોઈ સન્માન ન મળ્યું. રાખીએ તેના લગ્ન ન થવા માટે મીડિયાને જવાબદાર ઠેરવ્યું છે. તેણે કહ્યું છે કે મારે માત્ર સાડી પહેરી વહુ બનવું નથી. મારી અંદર કોઈ અહમ નથી પરંતુ મારે કોઈપણ ભૂમિકા ભજવવી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.