ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે જો કે રાજ્યમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શાળાઓમાં ઑફલાઇન શિક્ષણ હાલ બંધ નહીં કરવાની જાહેરાત કરી છે સ્કૂલોમાં કોરોના ગાઇડલાઇનનું યોગ્ય પાલન કરાવવામાં આવી રહ્યું હોવાની સરકારની ખાતરી છતાં પણ મોટી સંખ્યામાં વાલીઓએ તેમના બાળકોને સ્કૂલે મોકલવાનું બંધ કર્યું છે રાજ્યની 6 શહેરોની શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રમાણમાં 20થી 70 ટકા સુધીનો ઘટાડો છે રાજકોટની 200 જેટલી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા 70 ટકા સુધી ઘટી છે જ્યારે અમદાવાદમાં વિદ્યાર્થીઓના પ્રમાણમાં 40 ટકા સુધીનો ઘટાડો થયો છે પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓના પ્રમાણમાં મોટો ઘટાડો થયો છે જ્યારે માધ્યમિક અથવા તો હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા હજુ યથાવત છે વાલીઓમાં પણ હવે ઓફલાઈનને બદલે ઓનલાઈન શિક્ષણની માંગ વધી રહી છે અમદાવાદમાં ઓનલાઇન વર્ગોમાં વધુ વિદ્યાર્થીઓ જોડાઇ રહ્યાં છે વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા કરતા ઓનલાઇન જ અભ્યાસ કરાવી રહ્યાં છે વડોદરામાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સરેરાશ 15થી 20 ટકાનો ઘટાડો થયો છે જ્યારે માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 10 ટકા સુધી ઘટી છે.જ્યારે સુરતમાં નૉન ગ્રાન્ટેડ સ્કૂલોમાં 5થી 10 ટકા વિદ્યાર્થીઓએ ઓનલાઇન શિક્ષણ લેવાની શરૂ કર્યું છે રાજકોટમાં જુદી જુદી 6 ટીમ બનાવીને શહેરની શાળાઓમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે દરેક શાળાઓમાં કોવિડ ગાઈડલાઈન મુજબ સુવિધા અને વ્યવસ્થા છે બાળકો અને શિક્ષકો સહિતના સ્ટાફ નહિ માસ્ક પહેરે કે કેમ તેવી તમામ બાબતોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કોઈ સ્કૂલમાં કશું વાંધાજનક બહાર આવ્યું નથી અમદાવાદમાં એક સ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓની સંખ્યા 40 ટકા સુધી ઘટી હોવાનું સ્વીકાર્યું હતું તેમણે કહ્યું હતું કે ઓફલાઇન હાજરીમાં ઘટાડો થયો છે પરંતુ સ્કૂલ સંચાલકો હાજરીની માહિતી જાહેર કરતા નથી ઘણી સ્કૂલો ઓનલાઇન હાજરી પણ ભરતી નથી ઘણા સંચાલકો ઓફલાઇન બંધ થવા દેવા માંગતા નથી સુરતમાં વધુ 2 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ બન્યા હતા જેમાં 2 કોલેજના તથા એક વિદ્યાર્થી ધોરણ 11નો છે સંક્રમિત થયેલા કોલેજના બન્ને વિદ્યાર્થીએ રસીના બન્ને ડોઝ લીધા હતા સુરતમાં 4 વિદ્યાર્થી સંક્રમિત થયા હતા જ્યારે રાજકોટમાં પણ 3 વિદ્યાર્થી કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયાનું સામે આવ્યું હતું.
