અમદાવાદ શહેર માં છેલ્લા ઘણા દિવસોથી ગરીબોને મળતા રેશનિંગ ના અનાજ નો કાળોકારોબાર ચાલી રહો હોવા છતાં પણ સરકાર અને એફ.સી.આઈ. ના અધિકારીઓ દ્વારા ઠોસ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની અનેક વાતો સામે આવી રહી છે અને આ અનાજ માફિયાઓને કાયદાનો કોઈ જ પ્રકાર નો ડર ન હોય તેવી રીતે બિન્દાશ ધંધો કરી રહ્યા છે.વાત કરવામાં આવે અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતો મુકેશ મહારાજ કે જે રાણીપ,શાહપુર,વાડજ,નારણપુરા,સોલા સહીત ની સસ્તા અનાજની અનેક દુકાનોમાં આવતો સરકારી અનાજ નો જથ્થો એફ.સી.આઈ. ની ઓફિસ શાહીબાગ થી નીકળી સીધો જ મુકેશ મહારાજના ગોડાઉન ઉપર ખાલી કરવામાં આવતો હોવાની વાત સામે આવી રહી છે.અમદાવાદ શાહીબાગ ખાતે આવેલી એફ.સી.આઈ. ની ઓફિસ થી અનાજ ભરી નીકળતી ગાડી ડ્રાઈવર એફ.સી.આઈ. ઓફિસ થીરાણીપ,શાહપુર,સોલા,વાડજ સહિતની દુકાને ઉતારવાનો અનાજ નો જથ્થો સીધો જ મુકેશ મહારાજના ગોડાઉન માં ખાલી કરવામાં આવ્યો હતો. જો અનાજ નો આ જથ્થો મુકેશ મહારાજના ત્યાં ખાલી કરવામાં આવ્યો તો અમદાવાદ ના એફ.સી.આઈ. ના અધિકારીઓ ક્યાં સુઈ ગયા હતા કે પછી એફ.સી.આઈ. ના અધિકારીઓ અને મુકેશ મહારાજ ની મીલીભગત થી જ આ સસ્તા અનાજનો કાળો કારોબાર ચાલી રહ્યો છે તે પણ એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે આ મુકેશ મહારાજ ની વાત કરવામાં આવે તો રાણીપ પોલીસ સ્ટેશન ના પી.આઈ. અને વહીવટદાર ની રહેમરાહે જ આ કાર્ય ચાલતું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.તેમ છતાં પણ એફ.સી.આઈ. ના અધિકારીઓની આંખો ખુલતી ન હોય તેવી રીતે કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ મુકેશ મહારાજ અને તેના મળતીયા સન્ની, મુકેશ જૈન અને મોન્ટુ નામના શખ્સો ભેગા મળી રાણીપ,શાહપુર,વાડજ,નારણપુરા,સોલા સહિતના વિસ્તારોની દુકાનનો અનાજનો જથ્થો બારોબાર રાઇસ મિલોમાં ખાલી કરી મસ મોટા રૂપિયા ભેગા કરી ગરીબોના અનાજનો કોળિયો છીનવી લેવાનું ગુનાહિત પ્રવૃત્તિ ચલાવતા આવ્યા છે. તેમછતાં પણ એફ.સી.આઈ. ના અધિકારીઓ દ્વારા હજુ સુધી પણ કોઈ જ પ્રકાર ની કાર્યવાહી કરવામાં આવી નથી.આ મુકેશ મહારાજ ની દાદાગીરી એટલી હદ્દે વધી ગઈ છે કે તે પોતે જણાવી રહ્યો છે કે એફ.સી.આઈ. ના અધિકારીઓ કે ગુજરાત પોલીસ મારુ કશું જ બગાડી નહિ શકે કારણકે હું તમામને ખોબેને ખોબે વહીવટ આપી રહો છું તેવી વાત લોકમુખે ચર્ચાઈ રહી છે કારણકે એટલા માટે જ આ અનાજ માફિયા ઉપર કોઈ કાર્યવાહી થતી ન હોય તેવું લાગી રહ્યું છે.જો એફ.સી.આઈ. ના અધિકારીઓ દ્વારા આ બાબતની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો સરકારી અનાજ ના બહુ જ મોટા કૌભાંડ નો પર્દાફાશ થઈ શકે છે.
5
/ 100
SEO સ્કોર