નવા વર્ષે અમદાવાદીઓ ને મળશે નવી ભેંટ રિવરફ્રન્ટથી શરૂ થશે હેલિકોપ્ટર જોયરાઇડ્સ રિવરફન્ટ હેલિપેડથી શરૂ થશે રાઇડસ સાંજે 4 કલાકે મંત્રી પુર્ણેશ મોદીના હસ્તે શરૂ કરાશે રાઇડ્સ ની મજા શનિવારે બપોરે અને રવિવરે સવારે માણી શકાશે આ રાઇડ્સ માં 5 મુસાફરીઓ ને 9 મિનિટનો રહેશે રાઈડની કિંમત રૂ.2360 છે રિવરફ્રન્ટ હેલીપેડથી PM મોદી સ્ટેડિયમ સુધી જઇ પાછું ફરશેનાગરિક ઉડ્ડયનના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી હેલિકોપ્ટર જોય રાઈડ સેવાનો ૧લી જાન્યુઆરી 2022 થી પ્રારંભ થશે ત્યારે નાગરિક ઉડ્ડયનમંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ છે કે રાજ્યના નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ પુરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમય નજીક આયોજન કર્યું છે જેના ભાગરૂપે આવતીકાલે તા.૧લી જાન્યુ.એ રાજ્ય વેન્ચુરા એરકનેક્ટ સરકારના સહયોગથી દ્વારા સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાઓનો તથા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી હેલિકોપ્ટર જોય રાઈડ સેવાનો શુભારંભ કરાશે.
મંત્રી પૂર્ણેશ મોદીએ ઉમેર્યુ કે નવસારીના સાંસદ સી.આર.પાટિલ હસ્તે આવતીકાલે સુરત એરપોર્ટથી વેન્ચુરા એરકનેક્ટની વાણિજ્યિક હવાઈ સેવાઓનો શુભારંભ કરાશે. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજયમંત્રી દર્શનાબેન જરદોશ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ઉડ્ડયન રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાની વિશેષ હાજર રહેશે વેંચુક કનેક્ટ, સુરત સ્થિત એરલાઈન્સ જે ડેથ એર સર્વિસ પૂરી પાડે છે ૧લી જાન્યુ.૨૦૨૨ થી ૯ સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી; આ ૪ સેક્ટર પર દૈનિક ફ્લાઈટ શરૂ કરશે.રાજ્ય સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શેહેરોને પરસ્પર હવા દ્વારા જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પ્રારંભ થનાર આ હવાઈ સેવા દુનિયામાં સૌથી સલામત શ્રેણીમાં સામેલ એવા આર્મી ગ્રાન્ડ કારવાં દ્વારા પૂરી પાડવામાં આવશે. વેન્ચુરા દ્વારા વિમાન 9 પેસેન્જર અને 2 પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર ૩૦ મિનિટમાં, સુરતથી અમરેલી ૪૫ મિનિટમાં, સુરતથી અમદાવાદ ૬૦ મિનિટમાં અને સુરતથી રાજકોટ ૬૦ મિનિટમાં સફર પૂર્ણ થશે.
આ ઝડપી હવાઈ થી ઈમરજન્સીના સમયેત મારા-અપંગ માટે તો ફાયદો થશે જ, સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે. આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એકસમાન રૂ. ૧૯૯૯ ટિકિટદર રાખવામાં આવ્યો છે. આમ, નવા વર્ષે સુરતને નવી ઉડ્ડયન સેવાનો સુરતવાસીઓને લાભ મળશે. રાજ્યના ઐતિહાસિક શહેર અમદાવાદની સંસ્કૃતિથી લોકો પરિચિત થાય અને અમદાવાદના મહત્વના સ્થળો જોઈ શકે તે માટે સાબરમતિ હેલેપેડથી સમગ્ર અમદાવાદ દર્શન માટે હેલીકોપ્ટર જોય રાઈડ સેવાનો પણ કેબિનેટ નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે શુભારંભ થશે.આ હેલિકોપ્ટરનો હવે ગુજરાતના મુસાફરીઓ માટે કટોકટીમાં એમ્બ્યુલન્સ તરીકે પણ ઉપયોગ કરી શકાશે અને સિનિયર સિઝન ટ્રાવેલર ઓને યાત્રાધામોના દર્શન માટે ઉપયોગી સાબીત થશે ઉપરાંત આ હેલિકોપ્ટરનો ઉપયોગ વાઇબ્રન્ટ પણ ઉમદા માટે ઉપયોગ કરી શકાશે. સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યોજાનાર સમારોહમાં રાજ્યના ઉડ્ડયન વિભાગ સચિવ હારિત શુકલા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, સુરત એરપોર્ટ ડાયરેકટર અમન સૈની, કેપ્ટન અજય ચૌહાણ, નિયામક,નાગરિક ઉડ્ડયન અને CEO ગુજસેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.