કોરોના ની સ્થિતિ અને લોકડાઉન માં જનતા ની આવક બંધ થઈ જતા બધા કંગાળ જેવા થઈ ગયા છે ત્યારે પૈસા ની મુશ્કેલીઓ વચ્ચે હજુ સુધી લોકોને કોઈ સહાય પણ મળી નથી આવા સંજોગો માં ગરીબ,ખેડૂત અને મધ્યમ વર્ગ ના લોકો ને એપ્રિલ અને મેં મહિના ના વીજબીલ માં સરકારે રાહત આપવી જોઇએ તે મુજબ નો અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર લખી રજુઆત કરી છે.
ગરીબ, ખેડૂત અને મધ્યમ વર્ગના એપ્રિલ અને મે મહિના ના વીજ બીલ માં રાહત આપવા બાબત આજ રોજ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો… @vijayrupanibjp pic.twitter.com/fPxP4KfVxe
— Alpesh Thakor (@AlpeshThakor_) May 23, 2020
પત્ર માં જણાવાયું છે કે આપના દ્વારા માર્ચ,એપ્રિલ માસ ના વીજ બીલ ભરવાની મુદ્દત 30 મી મેં સુધી લંબાવવામાં આવી છે અને એલ.ટી ગ્રાહકો ને ફિક્સ ચાર્જ,ડિમાન્ડ ચાર્જ વસુલવા માંથી મુક્તિ આપવામાં આવી છે અને ફ્યુલ ચાર્જ માં પણ 16 પૈસા ઘટાડવામાં આવ્યા છે પણ આ સહાય પૂરતી નથી અને હજુ આ બાબતે વિચારી વીજબીલ માં રાહત આપવામાં આવે તે જરૂરી છે. અગાઉ પણ લોકો દ્વારા વીજ બિલ માફ કરવા રજૂઆતો થઈ ચૂકી છે ત્યારે સરકાર દ્વારા શુ પગલાં ભરવામાં આવે છે તેના ઉપર લોકો ની મીટ મંડાઈ છે.