અમદાવાદ: ગો એરની અમદાવાદથી કોચ્ચિ જતી ફ્લાઇટ આજે બુધવારે સવારે 10:40 વાગ્યે રવાના થવાની હતી જેના સ્થાને સાંજે 5:30 પછી રવાના થઇ હતી. આ ફ્લાઇટ જયપુરથી સવારે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ અને ત્યાર બાદ કોચ્ચિ અને ત્યાથી પરત અમદાવાદ અને જયપુર જવાની હતી. જયપુર બાદ આ ફ્લાઇટ કોલકાતા જવાની હતી. પરંતુ આ ફ્લાઇટ શિડ્યુલ પ્રમાણે સવારે જયપુરથી અમદાવાદ આવી જ ન હતી. મુસાફરો એરપોર્ટ પર પહોંચી ગયા હતાં ત્યાર બાદ ગો એર દ્વારા જાણ કરાઇ કે ફ્લાઇટ ટેકનિકલ કારણોસર જયપુરથી અમદાવાદ આવી જ નથી. અમદાવાદથી ગો એર ફ્લાઇટમાં કોચ્ચિ જનારા ઘણા બિઝસમેન પણ હતાં. તેમને કોચ્ચિમાં કાર્યક્રમમાં હાજરી આપવાની હતી પરંતુ ફ્લાઇટ ડિલે થવાના કારણે તેઓ રાતના 7:30 પછી કોચ્ચિ પહોંચી શકશે. તેવી જ રીતે કોચ્ચિથી આ ફ્લાઇટ પરત અમદાવાદ આવવાની હતી અને જયપુર જવાની હતી તેના પણ મુસાફરો અટવાઇ પડ્યા હતાં. આ ફ્લાઇટ જયપુરથી કોલકાતા જવાની હતી તે પણ અટવાઇ જતાં હજારો મુસાફરો અમદાવાદ, જયપુર અને કોચ્ચિના એરપોર્ટ પર અટવાઇ પડ્યા હતાં. ગો એરની અમદાવાદથી કોચ્ચિની ફ્લાઇટ સાંજના 5:30 પછી રવાના થતાં 7:30 વાગ્યે કોચ્ચિ પહોંચશે અને ત્યાથી પરત અમદાવાદ રાત્રે 10:30 વાગ્યે આવશે. જે જયપુર માટે રાત્રે 11:30 વાગ્યે રવાના થશે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.