નવી દિલ્હીઃ વાહન માલિકોની મુશ્કેલીઓને લઇને ફરજિયાત દાખલ કરવામાં મદદ કરવાના પ્રયાસના ભાગરૂપે રોડ ટ્રાન્સપોર્ટેશ અને હાઇવે મંત્રાલય એ ટ્રાન્સપોર્ટેશન વેબસાઇટ પર વાહન રિકોલ પોર્ટલ લોન્ચ કર્યુ છે. તેમાં રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ઉપયોગકર્તા પોતાના વાહનમાં મેન્યુફેક્ચરિંગ સંબંધિત ખાણીઓ અંગેની ફરિયાદ નોંધાવી શકે છે.
અત્યાર સુધી વાહન માલિકોને કોઇ પણ પ્રકારની ફરિયાદ કરવા માટે ઓટો ડિલરશિપના ધક્કા ખાવા પડતા હતા પરંતુ સરકારે કાર ઓનર્સને રાહત આપવા માટે આ સમાધાન કાઢ્યુ છે.
જો તમારુ વાહન સાત વર્ષ કરતા વધારે જૂનુ છે અને તેમાં કોઇ પ્રકારની ખરાબી આવી રહી છે તો તમે આ પોર્ટલ પર જઇને ફરિયાદ નોંધાવી શકો છો. ફરિયાદ દાખલ થયા બાદ ટ્રાન્સપોર્ટ મંત્રાલય આ મામલે તપાસ કરશે અને મુશ્કેલી કે ખામીઓના આધારે વાહનને રિકોલ કરવાની ઘોષણા કરી શકે છે.
નેશનલ હાઇવે ટ્રાન્સપોર્ટ સિક્યોરિટીઝ ઓથોરિટી (NHTSA) જેવી કેન્દ્રીયકૃત એજન્સી જરૂર પડતા આરોપોની તપાસ, સર્વેલન્સ અને સુધારણા કરશે. બારતમાં જેટલી પણ ઓટોમોબાઇલ કંપનીઓ છે તેઓ પોતે અત્યાર સુધી પોતાના સ્તરે જ આ મામલે નિર્ણયો લે છે કે કોઇ વાહનમાં ખરાબી છે કે નહીં અને ત્યારે જઇને તે વાહનને રિકોલ કરે છે. પરંતુ હવે કાર માલિક સમસ્યા સર્જાતા જ જો તે આ નવી સુવિધાનો લાભ લઇને ઓટો કંપની વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે.
ખાસ વાત એ છે કે સરકારના આ નિયમનું પાલન કરવામાં જો કોઇ ઓટોમોબાઇલ કંપની લાપરવાહી રાખે અથા વાહન રિકોલ કરવા ઇનકાર કરે તો તેની વિરુદ્ધ 10 લાખથી લઇને 10 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવી શકે છે.