ગાંધીનગર – ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય તેવી કેટલીક બાબતો એવી છે કે લોકો તેના પર ધ્યાન આપતાં નથી. આપણે પ્લાસ્ટીકની બેગ પર પ્રતિબંધ મૂક્યો છે પરંતુ પોલીસ એવું કહે છે કે કાપડની થેલી લઇને શાકભાજી લેવા જશો નહીં, નહીંતર કોરોના થઇ જશે.
અમદાવાદમાં શાકભાજીની લારી ચલાવતા વ્યક્તિએ 65 લોકોને કોરોના પોઝિટીવનો ચેપ લગાડ્યો છે. બજારમાં મળતાં શાકભાજી પણ શંકાથી ઘેરાયેલા છે. રાજ્યમાં ઘણી એવી જગ્યાએથી રોકડા રૂપિયા વિખરાયેલા મળ્યા છે કે જે શંકા ઉપજાવે છે. લોકો રસ્તામાં 500, 200 અને 100ના દરનો નોટ ફેંકી દેતા હોય છે. આ ક્યા લોકો છે તેની પોલીસ તપાસ કરી રહી છે.
અમદાવાદ પોલીસે શહેરની મહિલાઓને કહ્યું છે કે તેઓ ઘરેથી કાપડની થેલી લઇને શાકભાજી ખરીદવાનું ટાળે. પોલીસે કહ્યું છે કે પ્લાસ્ટીકની ડોલ લઇને શાકભાજી લેવા જવું જોઇએ. પોલીસનું આ લોજીક સમજાતું નથી પરંતુ તેઓ કપડાંની થેલીમાં શાકભાજી લેવા જવાનો વિરોધ કરી રહ્યાં છે. પોલીસ એવું પણ એનાઉન્સ કરે છે કે શાકભાજી ઘરમાં લાવ્યા પછી તેનો સીધો ઉપયોગ કરવો જોઇએ નહીં. શાકભાજીને પાણીમાં બરાબર સાફ કર્યા પછી તેનો ઉપયોગ કરવો હિતાવહ છે.
અમેરિકામાં તો એક સ્ટડી એવો થયો હતો કે બૂટથી પણ કોરોના ફેલાઇ શકે છે. લેઘર, રબર અને પ્લાસ્ટિક પર કોરોના પાંચ દિવસ સુધી હોય છે તેવું તારણ અમેરિકાના નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થનું માનવું છે. સંક્રમિત જગ્યાએ બૂટ પહેરીને ગયા હોવ તો બૂટ ઘરની બહાર કાઢવા જોઇએ અથવા બૂટને સાબુથી ઘોઇ નાંખવા જોઇએ.