નવી દિલ્હીઃ શું તમે ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુ. ફંડ્સની સ્કીમમાં મૂડીરોકાણ કર્યુ છે? જો જવાબ હા છે, તો તમારી માટે એક સારા સમાચાર છે. કારણ કે ફ્રેન્કલિન ટેમ્પલટનને બંધ કરેલી 6 સ્કીમના કરોડો રૂપિયા રોકાણકારોને માત્ર 20 જ દિવસમાં પરત ચૂકવવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટમાં થયેલ સુનાવણીમાં ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુ. ફંડ્સને આદેશ કર્યો છે.
આજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ્સને તેણે બંધ કરેલી 6 સ્કીમના રોકાણકારોને 9122 કરોડ રૂપિયા 20 દિવસની અંદર પરત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ દિવસની મુદ્દત આજથી એટલે કે મંગળવાર, 2જી ફેબ્રુઆરી, 2021થી ગણાશે.
તમને જણાવી દઇયે કે, ફ્રેન્કલિન ટેમ્પલટન એ પાછલા વર્ષે એપ્રીલમાં અચાનક છ સ્કીમ બંધ કરી દીધી હતી. ફ્રેન્કલિન ટેમ્પલટન એ બોન્ડ બજારમાં નાણાંની તંગીને પગલે આ સ્કીમ બંધ કરી હતી. સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યુ કે, દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ્સ કંપની SBI મ્યુ. ફંડ્સ આ રકમ કરવાના કેસ પર દેખરેખ રાખશે.
સુપ્રીમ કોર્ટે ફ્રેન્કલિન ટેમ્પલટનને તેની પહેલા ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુ. ફંડે પોતાના રોકાણકારોને કહ્યુ હતુ કે, તેઓ આ 6 બંધ સ્કીમમાંથી 14,931 કરોડ રૂપિયા મેળવશે. ફ્રેન્કલિન ટેમ્પલટન એ જે 6 સ્કીમ બંધ કરી હતી, તેમાં અલ્ટ્રા શોર્ટ બોન્ડ ફન્ડ, ઇન્ડિયા લોન ડ્યુરેશન ફંડ, ઇન્ડિયા ડાયનેમિક અક્રૂઅલ, ફ્રેન્કલિન ઇન્ડિયા ક્રેડિટ રિસ્ક ફંડ અને ફ્રેન્કલિન ઇન્ડિયા શોર્ટ ટર્મ ઇન્કમપ્લાન હતી.
કંપનીની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM)માં આ બંધ થયેલી 6 સ્કીમની હિસ્સેદારી અનુક્રમે 65 ટકા, 53 ટકા, 41 ટકા, 27 ટકા અને 11 ટકા હતી. નોંધનિય છે કે, ફ્રેન્કલિન ટેમ્પલટનની કુલ સંપત્તિ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે હતી. જો કે હાલ તે ઘટીને 80 હજાર કરોડ રૂપિયા થઇ ગઇ છે. કંપનીએ જ્યારે આ 6 સ્કીમ બંધ કરી તો તેની વિરુદ્ધ રોકાણકારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.