મુંબઇઃ વર્ષ 2021-22નું કેન્દ્રીય બજેટ જાહેર થઇ ગયુ છે. કોઇ મોટી રાહત ન અપાતા ઉલટાનું કઠોળ-દાળ પર નવો કરવેરો વસૂલવાની જાહેરાત કરી છે. આ નવા ટેક્સથી કઠોળ-દાળ ફરી મોંઘા થશે અને સામાન્ય વર્ગ પર મોંઘવારીનો બોજ વધશે તેવી વાતો થઇ રહી છે. તો ચાલો જાણીયે કઠોળ-દાળ પર આ નવા ટેક્સની શું અસર થશે….
સરકારે વર્ષ 2021-22ના બજેટમાં સરકારે આયાતી કઠોળ પર 20 ટકાથી 50 ટકા સુધીનો એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેશ વસૂલવાની જાહેરાત કરી છે. આ એગ્રી સેશથી કઠોળના ભાવ વધી જશે એવું લોકો માની રહ્યા છે. જો કે ઇન્ડિયન પલ્સીસ એન્ડ ગ્રેઇન એસોસિએશન (IPGA)નું માનવુ છે કે, બજેટમાં આયાતી કઠોળ પર 20થી 50 ટકા સુધી એગ્રી સેશ લાદવાનો નિર્ણય લીધો છે અને તેનાથી દાળ-કઠોળની કિંમતો પણ કોઇ અસર થશે નહીં. કારણ કે એગ્રી સેશમાં જે વૃદ્ધિ થશે જે કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડાથી અસરકારક રહેશે નહીં.
સરકારે વર્ષ 2021-22ના બજેટમાં વટાણા, કાબુલી ચણા, બંગાળ ચણા અને મસૂરની આયાત જકાત ઘટાડીને 10 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હાલના સમયમાં ચણાની આયાત પર 60 ટકા, વટાણા પર 50 ટકા, કાલુબી ચણા પર 40 ટકા અને મસૂર પર 30 ટકા જકાત વસૂલાય છે.
. સરકારે મસૂરની દાળ પર 20 ટકા, કાબુલી ચણા પર 30 ટકા, વટાણા પર 40 ટકા અને બંગાળ ચણા તેમજ વટાણા પર 50 ટકા એગ્રી સેશ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે.