ગુજરાત રાજયના એક માત્ર નિસર્ગ કુદરતી પ્રાક્રુતિક સૌદર્ય ધરાવતી સહયાદ્રી પર્વત ગીરીમાળામાં વસેલા ડાંગ જિલ્લામાં ગીરીમથક સાપુતારા ખાતે પ્રવાસન પ્રવ્રુતિને વેગ આપવા ગુજરાત પ્રવાસન નિગમ આયોજીત 1૨ મી ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી સાપુતારા મોન્સુન ફેસ્ટીવલનો આંરભ વન પર્યાવરણ મંત્રી ગણપત વસાવા અને તારક મેહતા કા ઉલટા ચશ્માં જેઠાલાલનાં વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યું હતો.
[slideshow_deploy id=’13594′]
સહયાદ્રીની ગીરીકંદરાઓમાં ગુજરાતનુ મીની કાશમીર સાપુતારા કેહવાય છે..સાપુતારા મોન્સુન ફેસ્ટીવલનું તળાવ બોટ હાઉસ ગ્રાઉન્ડ અને ઓડીટેરીયમ ખાતે રંગારંગ સમારંભમાં પ્રવાસન અગર્સચિવ વિપુલ મિત્રાના હસ્તે ઉદધાટન કરવામાં આવેલ.. વન પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ મૌન્સુન ફેસ્ટીવલનો આંરભ કર્યો હતો આ પ્રસંગે ભારત પ્રવાસન કમિશનર કમલેશ પટેલ , જિલ્લા કલેક્ટર બી કે કુમાર , ધારાસભ્ય મંગળ ગામીત સાથે તારક મેહતા કા ઉલટા ચશ્માં કલાકાર જેઠાલાલ, બાગા અને બાવરી ઉપસ્થિત રહયા હતા… વન પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યુ હતુ કે કુદરતી ધરેણા સમા સાપુતારા લોકોત્સવનું માધયમ બન્યુ છે તેમજ ચોમાસુ એ કુદરત આપેલી ભેદભાવ વગરની અણમોલ ભેટ છે. આ ફેસટીવલના કારણે સ્થાનિક વનવાસીઓ રોજગારીમાં મેળવી રહીયા છે …
૧૦ મી સપ્ટેમ્બર સુધી સાપુતારામાં મોન્સુન ફેસ્ટીવલના રંગારંગ કાર્યક્ર્મની શોભાયાત્રાના પ્રસ્તુતિ સાથેના ઉદધાટન કાર્યક્રમમાં કુદરતી સૌદર્યને માણવા, પ્રાક્રુતિક સૌદર્ય નિહાળવા, કાફટ બજાર ફન એકટીવીટી, વોટર્સ સ્પોટસ, એડવેન્ચર સ્પોટસનો લાહવો લેવા સેહલાણીઓ અને પર્યાવરણ પ્રેમીઓ, પ્રક્રુતિ પ્રેમીઓ માટે ગુજરાતનું એક માત્ર સાપુતારા છે ….
:સાપુતારા ખાતે રંગા રંગ સાસ્ક્રુતિ કાર્યક્ર્મ ડાંગી ન્રુત્યો, સીદ્રી ધમાલ, મ્યુઝિકલ ગ્રુપસાથે બોટ હાઉસ થી શોભાયાત્રા નીકળી હતી જેમાં પ્રવાસીઓ મનભેર ઝૂમી ઉઠયા હતા અને ગુજરાતના મીની કાશ્મીર સાપુતારામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા…..