સરકારે બુધવારે ખાનગી બેંકો પરસરકારી વ્યવસાય કરવા પરનો પ્રતિબંધ દૂર કરવાની જાહેરાત કરી હતી. નાણાકીય સેવા વિભાગ (ડીએફએસ) દ્વારા જારી કરવામાં આવેલા એક અખબારી પ્રકાશનમાં આ વાત કહેવામાં આવી છે. ડીએફએસએ કહ્યું છે કે સરકારે સરકારી બેંકિંગ વ્યવહારોમાંથી ખાનગી ક્ષેત્રની બેંકો પરનો પ્રતિબંધ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આ વ્યવહારોમાં કર અને અન્ય મહેસૂલ ચુકવણી સુવિધાઓ, પેન્શનની ચુકવણી, નાની બચત યોજનાઓ વગેરેનો સમાવેશ થાય છે.
