અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે દ્વારા આજે રવિવારે 32 પાકિસ્તાની લઘુમતી ધરાવતા હિંદુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ 32 પાકિસ્તાની હિંદુઓ છેલ્લા 7 વર્ષથી અમદાવાદમાં રહેતા હતા. નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર દેવા માં આવે છે.નવા 18 પાકિસ્તાની હિંદુઓની નાગરિકતા માટેનું અરજીપત્રક સ્વીકારીને આવાના નાગરીકતા પ્રક્રિયા માટે એનાયત કરવામાં આવ્યું હતું.
અહીંયા જાણવા જેવું બાબત છે કે, રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા સારી રીતે ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુસાર અગત્યના પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા છેલ્લી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે. ખૂબ જ ઓછા સમય ગાળામાં આ 18 વ્યક્તિઓની પણ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને તેઓને પણ નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવશે. વર્ષ 2016થી અત્યાર સુધીમાં 900 લોકોને નાગરિકતા પત્ર અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આપવામાં આવ્યા છે.
અહિયાં જાણવા જેવું છે કે, વર્ષ 2016 અને 2018ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતી ધરાવતા( હિંદુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને કિશ્ર્ચન) ધર્મના લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા ફોલો કરીને ને ભારતીય નાગરિકતા આપવામાં આવે છે.