જામનગરના જનતા ફાટક નજીક કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા વિપ્ર પરિવારની નવ વર્ષની માસૂમ બાળકીને બેભાન અવસ્થામાં લઇ સાવકો ભાઇ હોસ્પિટલે પહોંચતા ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીની શરીરના આંતર અને બાહ્ય ભાગ પર સંખ્યાબંધ ઇજાના નિશાન મળી આવતા થયેલા પેનલ પોસ્ટમોર્ટમમાં બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની ગળાટૂંપો દઇ નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.આ કાળજું કંપાવનારા બનાવથી શહેરીજનો આઘાતમાં ગરકાવ થઇ ગયા છે. બાદમાં તપાસમાં સાવકાભાઇએ જ દુષ્કર્મ ગુજારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.છોટીકાશી જામનગર સહિત હાલારભરમાં ભારે અરેરાટી જગાવનારા અતિ ઘૃણાસ્પદ બનાવની મળતી વિગત અનુસાર જામનગરમાં કૃષ્ણનગર શેરી નં.4મા રહેતા ચેતનભાઇ મુકુંદભાઇ કલ્યાણીની માસૂમ પુત્રી ઇશુ (ઉ.વ.9)ને બેભાન અવસ્થામાં તેનો સાવકો સગીર ભાઇ અને સંબંધી ભરતભાઇ મથ્થર બંને જી.જી.હોસ્પિટલ લઇ ગયા હતા.જેના પગલે હોસ્પિટલ ચોકીના નારણભાઇ લૈયા અને મગનભાઇ ચનિયારા દોડી ગયા હતા.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.