ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભાજ૫ની નવરચિત સરકારના મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળનો શ૫થ સમારોહ આવતીકાલે મંગળવારે ગાંધીનગરમાં યોજાશે. વડાપ્રધાન મોદી, ભાજ૫ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તથા ભાજ૫ શાસિત 18 રાજ્યોના મુખ્યમંત્રીની હાજરીમાં નવનિયુક્ત મંત્રીમંડળને હોદ્દા અને ગુપ્તતાના શ૫થ લેવડાવવામાં આવશે. આ સમારોહને લઇને ગાંધીનગર અભેદ સુરક્ષા કિલ્લામાં ફેરવાઇ ગયું છે.અાવતીકાલે નવા મંત્રીમંડળનો ભવ્ય શ૫થ સમારોહ યોજાશે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રી મંડળની શપથવિધિનું આયોજન કરાયું છે. જેના માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજ૫ અધ્યક્ષ અમિત શાહ તથા 18 રાજ્યના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ગાંધીનગર સચિવાલય ખાતે યોજાનારા આ સમારોહમાં ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી, કેન્દ્રિય પ્રધાનો, ભાજપના કેન્દ્રિય પદાધિકારીઓ, સાધુ-સંતો, કાર્યકર્તાઓ સહિતના નાગરિકો ઉપસ્થિત રહેશે.સમારોહ ક્યા યોજાશે તે વાત ખુબજ ચર્ચાનો વિષય બન્યો હતો.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.