કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે અનેક દેશ રિસર્ચ કરી રહ્યાં છે. સાથે જ વેક્સીન તૈયાર કરવાને લઇને પણ વિજ્ઞાનિકોની ટીમ દિવસ-રાત રિસર્ચ કરી રહી છે. આ દરમિયાન બ્રિટનની સૌથી મોટી સરકારી સ્વાસ્થ્ય એજન્સી નેશનલ હેલ્થ સર્વિસે કોરોના દર્દી માટે એલર્ટ જાહેર કર્યું છે. એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના દર્દીમાં અનેક મહિના સુધી વધુ થકાવટ અને શ્વાસ લેવાની તકલીફ રહી શકે છે. કોરોનાની અસર શરીર પર લાંબા સમય સુધી રહી શકે છે. કોરોનાથી બચ્યા બાદ શરીર પર તેની ખરાબ અસર ક્યાં સુધી રહેશે તેના પર હાલ રિસર્ચ ચાલી રહ્યું છે
મે મહિનામાં NHSના વિજ્ઞાનિકોએ કોરોનાના ગંભીર લક્ષણો પર ચર્ચા કરી હતી. જેમાં સ્ટ્રોક, કિડની ડિસીઝ અને અંગોની ઘટતી કાર્યક્ષમતા પર બેઠક મળી હતી. બેઠકમાં એનએચએસના વિજ્ઞાનિકોનું કહેવું હતું કે કોરોનાથી સાજા થયેલા દર્દીની સંખ્યા વધુ હશે જે ફરી સામાન્ય જીવન જીવી શકશે નહીં.
ખાસ કરીને કોરોના પીડિતો માટે બનાવવા આવેલા એનએચએસ હોસ્પિટલમાં ગત સપ્તાહે એવા દર્દી રિકવર થયા જે સારવાર બાદ લાંબા સમયથી કોરોનાની અસરથી પરેશાન હતા. એજન્સીનું કહેવું છે કે આ મોડલ દેશમાં હવે કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે અપનાવવામાં આવશે જેથી તેમનું મેન્ટલ ડિઓર્ડર, શ્વાસ લેવામાં તકલીફ અને હ્યદય રોગના કોમ્પિકેશનથી લડવા માટે મદદ કરી શકાય.
NHSએ ગત સપ્તાહે એક એલર્ટ જાહેર કરી કહ્યું હતું કે જે લોકોના શરીરમાં કોઇ પ્રકારનું ડેમેજ થયું છે તેઓને રિકવર કરવામાં અમે મદદ કરીશું. NHSના ચીફ એક્ઝીક્યુટીવ સિમોન સ્ટીવેન્સનું કહેવું છે કે આપણો દેશ મહામારીની ચરમ સીમામાંથી પસાર થઇ રહ્યો છે. હવે આપણે તેનાથી બહાર આવ્યા બાદ આવનારા પડકારોથી બચવાના ઉકેલ પર કામ કરવાની જરૂર છે.