કોરોના સામે લડાઈમાં ભવિષ્યના હથિયાર તરીકે અસરકારક વેક્સિનનો ત્રીજો ડોઝ પણ ટૂંક સમયમાં આવી જશે. ભારત બાયોટેક તરફથી દેશમાં બૂસ્ટર ડોઝની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેના માટે AIIMS નવી દિલ્હીમાં સોમવારથી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત 8 અન્ય જગ્યાઓ છે જ્યાં તે લોકોને વેક્સિનનો ત્રીજો ડોઝ આપવામાં આવશે જેમણે વેક્સિનના પહેલા 2 ડોઝ લીધેલા છે. જેના પરિણામો 6 મહિનામાં સામે આવશે.AIIMSમાં પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના હેડ અને કોવેક્સિનના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટીગેટર ડૉ. સંજય રાયે જણાવ્યું કે બૂસ્ટર ડોઝનું ટ્રાયલ એ જાણવાનું માધ્યમ છે કે કોઈ વ્યક્તિના શરીરમાં કેટલા દિવસ સુધી એન્ટિબોડીઝ બની રહે છે. વૈજ્ઞાનિક તારણો માટે આ ટ્રાયલ ખુબ જ જરૂરી છે.ગત વર્ષે એઇમ્સના જે લોકો પર હ્યુમન ટ્રાયલ કરવામાં આવ્યું હતું તેમના કેટલાંક લોકો પર બુસ્ટર ડોઝનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં, આ ટ્રાયલ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે શરીરમાં એન્ટિબોડી કેટલી બનશે અને કેટલા દિવસો સુધી તે જળવાઈ રહેશે.
એટલે કે જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તે તમામને બૂસ્ટર ડોઝ નહિ આપવામાં આવે. ત્યાબાદ જેમને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે તેમના અને જેમને બુસ્ટર ડોઝ નથી આપવામાં આવ્યો તેમના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવશે એ તેના આધારે ત્રીજો ડોઝ તૈયાર કરવામાં આવશે. એઇમ્સમાં જે લોકોના પહેલા ફેઝમાં ટ્રાયલ થયું હતું તેમને 3 માઇક્રોગ્રામનો વાયરલ ડોઝ આપવામાં આવ્યો હતો. ટ્રાયલ દરમ્યાન તેમના કેટલાંક લોકોને 6 માઇક્રોગ્રામ વાયરલ લોડ આપવામાં આવ્યો હતો. જે લોકોને 6 માઈક્રોગ્રામ વાયરલ લોડ આપવામાં આવ્યો હતો તેમને બુસ્ટર ડોઝ આપવામાં આવશે. બુસ્ટર ડોઝમાં પણ 6 માઇક્રોગ્રામ વાયરલ લોડ આપવામાં આવી રહ્યો છે. બુસ્ટર ડોઝનું ટ્રાયલ એઇમ્સમાં 25 લોકો પર કરવામાં આવશે. 2 દિવસ સુધી ચાલતા આ ટ્રાયલમાં પહેલા 18 અને બાદમાં બાકી વધેલા લોકો પર ટ્રાયલ કરવામાં આવશે. ટ્રાયલમાં તે લોકોને સામેલ કરવામાં આવશે જેમણે ગત વર્ષે કોવેક્સિનનો પહેલો અને બીજો ડોઝ લીધો હોય.